Latest

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર

ડાંગ , રાજેશ પવાર, એબીએનએસ: વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનતા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી બાયોગેસ પ્લાન્ટ યોજના હવે અંતિમ તબક્કામાં પહોંચી છે અને અત્યાર સુધીમાં 665થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ દરમિયાન આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. યોજનાનો હેતુ આદિવાસી પરિવારોને LPG સિલિન્ડર અને લાકડાના પરંપરાગત ઇંધણ પરથી મુક્ત કરી સ્વચ્છ અને સસ્તું ઇંધણ ઉપલબ્ધ કરાવવાનો છે.

આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા યોજનાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

વાઘપુરા ગામની રહેવાસી રવિના તડવીએ જણાવ્યું કે, “હવે અમને ગેસ સિલિન્ડરની ચિંતા રહેતી નથી. બાયોગેસ પ્લાન્ટથી રોજ સ્વચ્છ ઇંધણ મળે છે અને તેની સ્લરી ખેતી માટે ઉત્તમ ખાતર બની છે.”

સ્થાનિક રહેવાસી ચંદુ તડવીએ જણાવ્યું કે મહિલાઓને આ યોજનાથી સૌથી વધુ ફાયદો થયો છે. પહેલાં મહિલાઓને લાકડાં ભેગા કરવા લાંબા અંતરે જવું પડતું હતું અને ચૂલાના ધુમાડાથી તકલીફ થતી હતી. હવે બાયોગેસના ઉપયોગથી ધુમાડામુક્ત રસોઈ શક્ય બની છે.

રાજ્ય સરકાર દ્વારા પ્લાન્ટ સ્થાપનાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવે છે, જ્યારે લાભાર્થીઓ માત્ર ખાડો ખોદવા માટે શ્રમદાન આપે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વૈકલ્પિક ઊર્જા અને આત્મનિર્ભરતા માટેના પ્રયાસોને વધુ વેગ મળ્યો હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *