Latest

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે સ્વરોજગાર મેળા તથા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન

મહિલા અને બાળ વિકાસ વિભાગ, બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે એસ.સી. ગાંધી બી.સી.એ. કોલેજ, બોટાદ ખાતે સ્વરોજગાર મેળા તથા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવતીઓ તથા વિદ્યાર્થીઓને સ્વરોજગારની તકો, સરકારી યોજનાઓ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો તેમજ રોજગારીની વિવિધ ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડી તેમને આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન લીડ બેંક, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા રોજગાર કચેરી, ICDS વિભાગ તથા નગરપાલિકા સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સ્વરોજગાર યોજનાઓ, લોન સહાય, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, રોજગાર તકો તેમજ વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત અને માહિતીસભર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રશ્નોત્તરી સત્રમાં સક્રિય રીતે જોડાઈ જરૂરી માહિતી પ્રાપ્ત કરી હતી.

આ પ્રસંગે બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, એસ.સી. ગાંધી બી.સી.એ. કોલેજના આચાર્યશ્રી, કવિ શ્રી બોટાદકર કોલેજ ના આચાર્ય શ્રી તેમજ PBSC (Police Based Support Centre), 181 અભયમ મહિલા હેલ્પલાઇન, વન સ્ટોપ સેન્ટર (OSC), DHEW (District Hub for Empowerment of Women)ના કર્મચારીઓ તેમજ ટાઉન પોલીસ સ્ટેશન શી ટીમ ના અધિકારીઓ અને કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સ્વાવલંબન, મહિલા સશક્તિકરણ તથા આત્મવિશ્વાસ સાથે ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં ઉપસ્થિત સૌએ આવા માર્ગદર્શક અને જનહિતકારી કાર્યક્રમોની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમજ કાર્યક્રમ ના અંતે મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મંશુરી સાહેબ તરફ થી કર્મચારીઓ અને અન્ય વિભાગ ને સારી કામગીરી બદલ પ્રશંસા પત્ર એનાયત કરવા મા આવ્યા હતા..

રિપોર્ટર રઘુવીર મકવાણા બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *