Latest

બકરી ઈદ ને લઈ નવાબંદર મરીન પોલીસ દ્વારા કોબ ગામે શાંતિ સમિતિ ની બેઠક યોજાય

હાલ મુસ્લિમ સમાજ નો તહેવાર બકરી ઈદ ૨૯ ના રોજ હોવાથી આ તહેવાર માં કોઈ અણઘટી ઘટના ના બને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે શાંતિ પૂર્વક બકરીઇદ ની ઉજવણી થઇ શકે

તે હેતુ અનુંસંધાને ઉના તાલુકા ના કોબ ગામમાં નવાબંદર મરીન પોલીસ સ્ટેન્શન ના પીએસઆઇ એ.બી.વોરા સાહેબ, એએસઆઇ કંચનબેન પરમાર, બીટ જમાદાર રાજુભાઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા કોબ ગામના મુસ્લિમ સમાજના પ્રમુખ ફારૂક બાપુ હસન અલી સિરાજી, ભીમભાઇ મેણસીભાઇ બાંભણીયા સરપંચ કોબ ગ્રામ પંચાયત, દેવશીભાઇ પાંચાભાઇ ચાવડા તેમજ અન્ય મુસ્લિમ સમાજ તેમજ હિન્દૂ સમાજ ના આગેવાનો ને સાથે રાખી મિટિંગ યોજવામાં આવી હતી

તેમજ વોરા સાહેબ દ્વારા જણાવવા માં પણ આવ્યું હતું કે એક જ ગામમા રહેવું તો હંમેશા ભાઈચારા થી રહેવું એજ માનવ નો મોટો ધર્મ છે હિન્દૂ સમાજ માં તેમજ મુસ્લિમ સમાજ અનેક તહેવારો આવતા હોઈ તે તહેવાર ને શાંતિ થી ઉજવણી થાય કોઈ જાતના જગડા વિના ઉજવાય એનાથી મોટો તહેવાર કોઈ ના હોઈ શકે.

રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…

1 of 623

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *