Latest

અંબાજી આધ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં પીએમજેવાય હેઠળ વિના મુલ્યે ઓપરેશન કરવામા આવ્યા, દર્દીઓએ હોસ્પિટલ વિભાગનો ખુબ ખુબ આભાર માન્યો

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે દાંતા તાલુકાનું સૌથી મોટું આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ આવેલું આ હોસ્પિટલમાં હાલમાં કામગીરી ઘણી સારી જોવા મળી રહી છે.ગુજરાત સરકાર દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ જન-જન સુધી પહોંચે તે માટે તેમજ પી.એમ.જે.વાય.હેઠળ દદિૅઓ નિ:શુલ્ક સારવાર મળે તે માટે સરકારશ્રી દ્વારા હોસ્પિટલોને વારંવાર સૂચના આપવામાં આવે છે.

આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ, અંબાજી ખાતે છેલ્લા ચાર મહિનાથી પી.એમ.જે.વાય.યોજના હેઠળ કાડૅ કાઢી આપવામાં આવે છે.
તેમજ તેના થકી દદિૅઓ મફત સારવાર તેમજ ઓપરેશન કરી આપવામાં આવે છે, અગાઉ ઘણા દદિૅઓના સર્જીકલ ઓપરેશન ડો.મનસુખ પટેલ જનરલ સજૅન દ્વારા પી.એમ.જે.વાય.યોજના હેઠળ કરવામાં આવેલ છે. આજ રોજ તારીખ ૧૩/૦૭/૨૦૨૩ ના રોજ પી.એમ. જે.વાય કાર્ડ હેઠળ દદિૅનુ નામ (૧) રાકેશભાઈ ચંદુભાઈ બેગડીયા ,ઉંમર 30 વર્ષ (૨) રાકેશ ભાઈ ગમાર, ઉંમર 20 વર્ષ ગોદીખાણા પોશીનાનું પી.એમ.જે.વાય.કાર્ડ હેઠળ ડો. નેહાલ બારોટ, ઓર્થોપેડિક સર્જન તેમજ ડો. વાય. કે. મકવાણા, અધિક્ષક વર્ગ-૧ દ્વારા એનેસ્થેસિયા સર્વિસ પૂરી પાડીને મફત ઓપરેશન કરેલ છે.

:- અગાઉ દર્દીઓને 30 હજાર રૂપિયા લાગ્યા હતા :-

કનુભાઈ બકાભાઇ ગમારના કહ્યા પ્રમાણે અગાઉ તેમનુ ઓપરેશન સપ્ટેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું. તેમાં તેમનો ખર્ચ ₹30,000 થયો હતો. પરંતુ આજે પી.એમ.જે.વાય.કાર્ડ હેઠળ મફત ઓપરેશન થતાં તેઓએ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનો આભાર માન્યો હતો .કેમ કે આ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 30 થી 40 હજાર થતો હોઈ તેમની પરિસ્થિતિ પ્રમાણે પોશાય તેમ ન હતું. હાડકાના ઓપરેશન પી.એમ.જે.વાય હેઠળ આ હોસ્પિટલમાં ડૉ. નેહાલ બારોટ આવ્યા પછી ફ્રી માં થાય છે અને દદિૅઓને પણ ઓપરેશનનો લાભ પી.એમ.જે.વાય હેઠળ મળે છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ

સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન…

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને…

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

1 of 589

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *