Latest

અંબાજી – નવીન “ઉમિયાધામ” નું તા.૨૫ જાન્યુઆરી ના રોજ લોકાર્પણ કરાશે.

અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ નવીન ઉમિયાધામ નું સી.એમ શ્રી દ્વારા કરાશે લોકાર્પણ.

૭૨ રૂમ, ૨ સ્યુટ રૂમ સહિત મલ્ટિપર્પઝ હોલ, અન્નપૂર્ણા એ.સી.હોલ, લિફ્ટ અને પાર્કિંગ સ્પેસ સહિત સંઘ માટે રસોડા શેડ ની સુવિધા.

અરવલ્લી ની ગિરિમાળાઓ વચ્ચે આવેલ ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.૨૫ જાન્યુઆરી ના રોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સંચાલિત શ્રી ઉમિયા માતાજી પથિકાશ્રમ ના નવા બિલ્ડિંગ “જય સોમનાથ –  ઉમિયાધામ “  ના લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરાયું છે.જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય મહેમાન પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ , મુખ્ય દાતા શ્રી બાબુભાઈ કે પટેલ ( ખોરજ વાળા – JSIW ઇન્ફ્રા)
સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ સાથે  ડો. મમતાબેન વી .પંડિત  ( ગાયત્રી ઉપાસક ,કથાકાર ) આશિર્વચન આપી કાર્યક્રમ ની શોભા વધારશે.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા તથા દાતા – શ્રેષ્ઠીઓ ના આર્થિક સહયોગ થી નિર્મિત અને અંબાજી મંદિર ની સૌથી નજીક ના અને હાર્દ સમા વિસ્તાર માં ઊભું  કરાયેલ આ ઉમિયાધામ પરિસર યાત્રિકો ને નજીવા ભાવે આધુનિક અને ઉત્તમ સુવિધા સભર રહેઠાણ પૂરું પાડવાના ઉમદા હેતુસર નિર્મિત કરાયેલ છે.

જેમાં ચાર માળ ના આ નવા ભવન માં ૭૨ એ.સી. રૂમ તેમજ  ૨ સ્યુટ રૂમ,મલ્ટિપર્પઝ હોલ, એ.સી.અન્નપૂર્ણા હોલ સહિત ગાર્ડન, લિફ્ટ અને પાર્કિંગ ની સુવિધા પણ ઉભી કરાયેલ છે તેમજ વર્તમાન માં કાર્યરત ૩૧ રૂમ સહિત કુલ ૧૦૫ રૂમ ની વ્યવસ્થા યાત્રિકો ને મળી રહેશે  જ્યાંથી અંબાજી મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વાર ” શક્તિ દ્વાર “ તેમજ ગેટ નં.૯ ( ભૈરવજી મંદિર  ગેટ ) થી અંદાજે  ૨૦૦  થી ૩૦૦ મીટર ના અંતરાય માં જ આવેલ છે.જ્યાંથી ચાલતા સરળતા પૂર્વક મંદિર સુધી પહોંચી શકાય છે .રહેવા – જમવા ,બગીચા અને પાર્કિંગ સહિત ની વિશાળ જગ્યા ધરાવતું આ સ્થાન મંદિર ની નજીક હોવાથી યાત્રિકોને તમામ રીતે ઉપયોગી નીવડે તેવું છે .

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *