Latest

2023 નવરાત્રી દાંડિયા રાસ,અંબાજીના વિજયા રિસોર્ટ મા ખેલૈયાઓ રમઝટ બોલાવશે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠ મા આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં ભાદરવી મહાકુંભ થોડા સમય બાદ શરૂ થવાનો છે,

ત્યારે ભાદરવી મહિનો પૂર્ણ થયા બાદ આસો માસમાં નવ દિવસ નવરાત્રીમા માં અંબાની આરાધના નો પર્વ તરીકે ઓળખાય છે. નવરાત્રિના નવ દિવસમાં ભક્તો ખેલૈયાઓ ગરબા રમતા હોય છે ત્યારે આ વખતે પ્રથમ વખત અંબાજીના વિજયા રિસોર્ટમાં ખેલૈયાઓ માટે રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજી ખાતે શક્તિ ધારા સોસાયટી પાસે આ વિજયા રિસોર્ટ આવેલો છે આ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ સહિત ઘણા બધા રૂમ પણ આવેલા છે અને હોલ પણ આવેલ છે ત્યારે આ વખતે ખેલૈયાઓ આ રિસોર્ટમાં નવરાત્રીમાં રમઝટ બોલાવશે આ માટે રિસોર્ટ દ્વારા એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવેલ છે જે માટે ફી પણ રાખવામાં આવી છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *