Latest

અંબા થી આંબેડકર સુધી, સંવિધાન દિવસના દિવસે ગાંધીનગરમાં મહાસંમેલન યોજાશે

.રાષ્ટ્રીય બહુજન અધિકારના સભ્યો અંબાજી આસપાસના ગામોમાં આમંત્રણ આપવા પહોંચ્યા,મહાસંમેલન 26 નવેમ્બરે ગાંધીનગરમાં યોજાશે

શક્તિ ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે તાજેતરમાં શરદ પૂર્ણિમા મહોત્સવ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે, ત્યારે હાલમાં પણ માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે

ત્યારે અંબાજી ખાતે આજરોજ રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલન(બૌદ્ધ સંમેલન અને બહુજન એકતા યાત્રા) આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાશે.ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એસસી, એસટી, ઓબીસી, એનપી , એનબીટી અને માઈનોરીટીના લાખો લોકો એક સાથે ગાંધીનગર એકઠા થશે આ દિવસે જેન સમાજની જેટલી વસ્તી તેટલી તેની ભાગીદારી વધારે

26 નવેમ્બરના રોજ પોતાના હક અને અધીકાર બચાવવા માટે ગાંધીનગર ખાતે આવશે અને ત્યાંથી લડાઈ કુચની શરૂઆત કરશે.રાષ્ટ્રીય બહુજન અધિકાર મહાસંમેલનની મુખ્ય માંગો સાથે ગાંધીનગર થી શરૂઆત કરશે. 26 નવેમ્બર બંધારણ દિવસ છે અને આ દિવસે આ સંમેલનની શરૂઆત થશે.

સંગઠનનો મુખ્ય ઉદ્દેશ આજે નહિ તો ક્યારે ભેગા થઈશું. ટેન્ડર પ્રથા ઉપર રોક લગાવવામાં આવે. આ તમામ વર્ગ અને જાતિ અન્યાય અને અધિકાર માટે એક જૂટતા થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અંબા થી આંબેડકર સુધી આ યાત્રા આજે અંબાજીથી શરૂ થઈ હતી અને આ સંગઠનના લોકો અંબાજી અને આસપાસના ગામોમાં આમંત્રણ આપવા પહોંચ્યા હતા જેનું મહાસંમેલન 26 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાશે.આજે આ સંગઠનના લોકો અંબાજી ખાતે આવી પહોંચ્યા અને અંબાજી માતાજીના મંદિરે આમંત્રણ આપ્યું હતુ.

આ પ્રસંગે ભાનુભાઈ ચૌહાણ સુરત, અજમલજી ઠાકોર વિસનગર, દિલીપસિંહ ઠાકોર અમદાવાદ, હસમુખ સક્સેના ગાંધીનગર, નવઘણજી ઠાકોર પાટણ, દર્શિલ ભાઈ કંથેરીયા અમદાવાદ, પથુજી ઠાકોર વડનગર, ઉત્તમ વસાવા નારોલી, હાર્દિક બૌદ્ધ જામનગર, સુરેશ સોનવને સુરત સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

રિપોટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *