Latest

ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે અમદાવાદ ખાદી સરિતા કેન્દ્રની મુલાકાત લેતા આરોગ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે અમદાવાદ ખાદી સરિતા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ખાદીના વસ્ત્રો તેમજ ખાદી બનાવટની ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી અને લોકોને પણ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે પ્રેરણા આપી હતી.

તેમણે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ગાંધીજીના જીવન મૂલ્યો વિશે સંવાદ કર્યો હતો તેમજ સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપી આત્મનિર્ભર ભારતના સૂત્રને સમજાવ્યું હતું. મંત્રીએ ખાદી સરિતા કેન્દ્ર ખાતે ચરખો કાંત્યો હતો અને ગાંધી જન્મજયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને પણ સ્વખર્ચે ખાદીના વસ્ત્રો અપાવ્યા હતા.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી પરાગભાઈ ત્રિવેદી, અમદાવાદ ખાદી સરિતા કેન્દ્રના સંચાલક કમલેશભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ તેમજ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *