Latest

જામનગરના જોડિયામાં ‘વંદે માતરમ્ તટીય સાયક્લોથોન-2026’નો ભવ્ય સમારોહ યોજાશે, રાજ્યમંત્રી રિવાબા જાડેજા આપશે ફ્લેગ ઓફ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાષ્ટ્રભક્તિ અને શારીરિક સુદ્રઢતાના સંદેશ સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બલ (CISF) રાજકોટ એરપોર્ટ દ્વારા આયોજિત ‘વંદે માતરમ્ તટીય સાયક્લોથોન-2026’ ના બીજા ચરણનું આયોજન જામનગર જિલ્લાના જોડિયા ખાતે કરવામાં આવ્યું છે. તારીખ 31 જાન્યુઆરી, 2026ના રોજ જોડિયામાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી સાયક્લોથોન ટીમને પ્રોત્સાહિત કરશે.

31 જાન્યુઆરીએ વહેલી સવારે 05:00 વાગ્યે મોરબી જિલ્લાના સરવડથી સાયક્લોથોન ટીમનું પ્રસ્થાન થશે, જે જામનગરના જોડિયા સ્થિત પટેલ સમાજવાડી ખાતે પહોંચશે,

તેને બપોરે 12:00 કલાકે મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા આવકારશે, અને સાયક્લોથોન પ્રતિભાગીઓનું ભવ્ય સન્માન કરવામાં આવશે. આ તકે સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે, તેમજ CISFની ટીમ દ્વારા સાહસિક QRT ડેમો અને યોગના નિદર્શનો યોજાશે.

બપોરે 02:00 કલાકે મંત્રીશ્રી દ્વારા સાયક્લોથોન ટીમને જોડિયાથી વિધિવત ફ્લેગ ઓફ આપી આગળના પ્રસ્થાન માટે રવાના કરવામાં આવશે. CISF રાજકોટ એરપોર્ટના સુરક્ષાકર્મીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તટીય સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને જનભાગીદારી વધારવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CISF ના અધિકારી અમનદીપ સિરસવા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 273

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *