Latest

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

ધારી પત્રકાર સંઘ દ્વારા

મોટીસંખ્યામાં ગ્રામજનો તેમજ રાજકીય આગેવાનો એ આપેલ હાજરી

ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ કરવામાં આવેલ છે જે અંતર્ગત ધારી તાલુકાના ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન કરવામાં આવેલ હતું .સમસ્ત સમાજ ની વાડી ખાતે રાખવામાં આવેલ

આ કાર્યક્રમ નુ વિશેષ આયોજન ધારી તાલુકા પંચાયત પ્રમુખ મહેશ સાવલીયા અને સમસ્ત ગ્રામજનો દ્વારા રાખવામાં આવેલ હતું . સાથોસાથ સહી ઝુંબેશ અંતર્ગત પધારેલા દરેક ગ્રામજનો ની સહીઓ લેવામાં આવેલ હતી. મિશન બ્રોડગેજ અંતર્ગત જનજાગૃતિ સભા નું આયોજન ધારી તાલુકાના ખીચા ગામ ખાતે રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત તમામ આદરણીય વડીલો રહેલા હતા….

આ તકે નવાગામ (ફતેગઢ) થી પધારેલા સરપંચ પ્રદિપ ભાઈ દવે તેમજ ભરતભાઈ મકવાણા એ આગામી જનજાગૃતિ સભા નવાગામ ખાતે રાખવાનું આમંત્રણ આપેલ હતુ

ઉલ્લેખનીય છે કે લાખો લોકોની આશા સાથે, લાખો લોકો ની સુવિધા માટે બ્રોડગેજ સુવિધા ની માંગ સાથે ધારી પત્રકાર સંઘ જે ઉચ્ચ રજુઆત કરી રહેલ છે જનજાગૃતિ અભિયાન હાથ ધરી રહેલ છે ત્યારે ધારી તાલુકા પંચાયત ના પ્રમુખ અને ખીચા ગામ ના મહેશભાઈ સાવલીયાએ આ જનજાગૃતિ સભાને સફળ બનાવવા માટે સરાહનીય કામગીરી કરેલ હતી.

જનજાગૃતિ સભા માં પધારેલા શાંતીલાલ પરમાર સાહેબ, મૂગેશભાઈ કોટડીયા, ગૌતમભાઈ દાફડા, બાલા ભાઈ વાડદોરીયા, મુન્નાભાઈ ભાદરવા, કનુભાઈ મારૂં, ગજેન્દ્ર ભાઈ વાળા, સંજયભાઈ કારીયા, ડીકે પટોળીયા સહિત ના આગેવાનો એ પોતાના પ્રારંભિક પ્રવચન માં જણાવ્યું હતું કે બ્રોડગેજ સુવિધા મળવાથી ધારી, ચલાલા વિસાવદર નો વિકાસ પણ થશે

, વેપાર ઉદ્યોગ અને ધાર્મિક સ્થળો તેમજ પર્યટન શ્રેત્રે પણ વિકાસ થશે. બિનરાજકીય અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેને જાગૃત નાગરિક તરીકે સહુ આગેવાનો એ સમર્થન આપેલ હતુ. આ સભા માં ઉપસ્થિત શાંતિલાલ પરમાર સાહેબે બ્રોડગેજ સુવિધા મંજુરી માટે વ્યાજબી માંગ સાથે ઈક્કો સેન્સિટિવ ઝોન ના બ્હાને લાખો લોકો ને સુવિધા થી વંચિત રાખવામાં આવેલ છે તેનો બળાપો ઠાલવ્યો હતો.

ગીરના જંગલ ની આન બાન અને શાન સમા સિંહો ની સુરક્ષા કરવી વનવિભાગ ની જવાબદારી છે ત્યારે અમરેલી થી વિસાવદર સુધી ના રેલ્વે ટ્રેક ઉપર આઝાદી ના દશકાઓ વિતી ગયા પરંતુ આજસુધી એકપણ અકસ્માત માં સિંહો નુ મોત રેલ્વે ટ્રેક ઉપર થયેલ નથી.

અને એમ છતાં બ્રોડગેજ સુવિધા થાય તો સિંહો ની સુરક્ષા માટે વનવિભાગે અને રેલ્વે વિભાગે સંકલન કરીને લાખો લોકો ની સુવિધા માટે કામગીરી હાથ ધરવી જોઈએ. આગામી દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહીને વનવિભાગ, રેલ્વે વિભાગ ને ઉચ્ચ રજુઆત કરીને બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે આવેદનપત્ર પાઠવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *