Latest

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને ફાયદો કરાવવા રાધનપુર નગરપાલિકા દ્વારા વગડા માં રોડ બનાવવાનો પ્રેમ ઉભરાતા રાધનપુર શહેર રહેણાંક વિસ્તાર ની જનતા માં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે રાધનપુર ના અનેક જાગૃત નાગરિકો દ્વારા આ કામગીરી બાબતે મ્યુનિસિપાલિટી એડ મીનીસ્ટ્રેશન ની કચેરી ગાંધીનગર ખાતે લેખિતમાં રજુઆતો કરવામાં આવેલ છે

ત્યારેમ્યુનિસિપાલિટી એડ મીનીસ્ટ્રેશન ની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 9-11-2024 ના રોજ પ્રાદેશીક કમિશનર, ગાંધીનગર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવીકે અરજદાર ની રજુઆત પરત્વે આપની કક્ષા એ થી જરૂરી તપાસ કરાવી નિયમાંનુસાર યોગ્ય કાર્યવાહી કરવાં તથા કરેલ કાર્યવાહી અંગે અરજદાર ને યોગ્ય પ્રતિઉત્તર પાઠવી આપવા જણાવેલ છે

ત્યારે આ તપાસ શરૂ થતાં રાધનપુર ના રહેણાંક વિસ્તાર ના લોકો માં ખુશી જોવા મળી હતી ત્યારે બીજીબાજુ સબકા સાથ સબકા વિકાસ ના દાવા જાણે રાધનપુર નગરપાલિકા માં પોકળ સાબિત થતાં જોવા મળી રહ્યા છે ચાહે પછી સફાઈ કામનો પ્રશ્ન હોય કે રોડ રસ્તા ના કામો, પાણી ની સમસ્યા હોય તેવા અનેક કામો નો કોઈ નિકાલ આવતો નથી.

ત્યારે તાજેતરમા રાધનપુર નગરપાલિકા દ્વારા 3:38 લાખ ના ખર્ચે જે નવીન તાલુકા સદન થી વારાહી હાઇવે સર્વિસ રોડ (લજપત નગર થી હારીજ બાયપાસ રોડ )સી સી રોડ બનાવવા નો છે

જે ની સામે રહેણાંક વિસ્તાર માં વિકાસ ના કામો ના થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો લોકો ના આક્રોશ નુ કારણ તેમના જણાવ્યા મુજબ આ જે ત્રણ કરોડ ઉપર ની માતબર રકમ નો જે ખર્ચ કરવામાં આવે છે ત્યાં જોવે એવો કોઈ રહેણાંક વિસ્તાર નથી

ત્યાં બિલ્ડરો ના ખેતરો આવેલા છે નગરપાલિકા ના જવાબદાર સત્તાધીસો ની સાઠગાંઠ ને લઈ બિલ્ડરો ની જમીનો ના ભાવ વધે તે માટે આ રોડ બનાવવા આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ ના શહેર પ્રમુખ ડો. ઝુલા જિલ્લા તેમજ શહેર મહિલા પ્રમુખ દ્વારા પણ લોકો સાથે રહી આ કામની નિવિદા રદ થાય તે બાબતે મામલતદાર કચેરીએ આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું

લોકો ના જણાવ્યા મુજબ હાલે રાધનપુર ગામ ની અંદર તેમજ બાહાર ના વિસ્તાર ના રોડ રસ્તા અનેક વિસ્તારોમાં સાવ તુટી ગયેલા છે આ તૂટેલા રસ્તા ઓ ને લઈ ખાડા ખાબોચિયા માં ગટર નુ ગંદુ પાણી ભરાઈ રહે છે જે ને લઈ થતી ગંદકી ને લઈ માખી મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો છે જે ને લઈ લોકો ને બીમારી નો ભય સતાવી રહ્યો છે

ત્યારે નગરપાલિકા દ્વારા અંદર તેમજ બાહાર ના રહેણાંક વિસ્તાર તેમજ જાહેર રસ્તા ની કામગીરી કરવાને બદલે રસ્તામાં આવતા ખેતરો પાસે રોડ મંજુર કરાતાં આનો સીધો ફાયદો બિલ્ડરો ને કરાવતા નગરપાલિકા ના જવાબદાર સત્તાધીસો સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો

ત્યારે રાધનપુર ગામ લોકો ની માંગ છે કે ગામ ના હિત માં આ 3:38 લાખ ના સી સી રોડ ની બનાવેલ દરખાસ્ત ની તપાસ કરી જો આમાં ભ્રસ્ટાચાર સાબીત થાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાં માંગ કરી હતી અને લોકો દ્વારા જણાવ્યું હતું કે શહેર ના રહેણાંક વિસ્તારો ને ધ્યાન માં લઈ અને ગામના અંદર બહાર જરૂરી વિસ્તાર માં આ ગ્રાન્ટ વાપરવામાં આવે તેવી માંગ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *