Breaking NewsLatest

કોરોના સામે લડવા વેકસીન જ હાલ અમોઘ શસ્ત્ર,વેક્સિન લઇને પોતાને તેમજ પરિવારને સુરક્ષિત કરીએ : ડો. કાજલ ચૌહાણ મેડિકલ ઓફિસર

જામનગર: કોરોનાને નાથવા હાલ વેક્સિન જ ઇલાજ છે ત્યારે જામનગર શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવતા ડો.કાજલ ચૌહાણ જામનગરની જનતાને અપીલ કરતાં જણાવે છે કે, લોકો વધુમાં વધુ કોરોના પ્રતિરોધક રસી લઈ કોરોનાથી મુક્ત થાય.કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા જામનગર શહેરમાં કોવિશિલ્ડ તથા કોવેકસીન વેકસીન ઉપલબ્ધ છે.જામનગરના લોકો આમાંની કોઈપણ એક વેકસીનના બંને ડોઝ લઈને કોરોનાથી પોતાને તથા પરિવારને સુરક્ષિત કરે.રાજય સરકાર દ્વારા 18 થી 44 વર્ષની ઉંમરના યુવાઓ માટેનું વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે કોવિન એપ મારફત વધુમાં વધુ યુવાઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી વેકસીન લે એ જરૂરી છે કારણ કે કોરોના સામે લડવા હાલના તબક્કે રસીકરણ જ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે.

ડો.કાજલ ચૌહાણ વધુમાં જણાવે છે કે મેં કોવિશિલ્ડ વેક્સિનેશનના બન્ને ડોઝ લઇ લીધા છે. જેની કોઇપણ જાતની આડઅસર જોવા મળી નથી. કોરોનાના સંક્રમણમાં રસીકરણનાં કારણે હું સુરક્ષીત છું. હાલ હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓની તપાસ કરૂ છું અને મને કોઇપણ જાતની તકલીફ કે સંક્રમણ થઇ શક્યુ નથી જેનુ કારણ રસીકરણ છે એમ કહેવામાં લગીરે અતિશયોક્તિ નથી. રસીકરણની પ્રક્રિયા એકદમ સુરક્ષીત છે. સૌ લોકોએ મનમાં કોઇપણ જાતનાં ડર કે શંકા રાખ્યા વિના રસીકરણ કરાવી લેવું જોઇએ તેવી મારી તમામ નાગરીકોને મારી અપીલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *