Latest

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ
રાજકોટ: આત્મનિર્ભર ભારતના નિર્માણના ધ્યેય સાથે, સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું ભવ્ય વિમોચન આજે રાજકોટ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા , શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા અને શ્રી ઉદયભાઈ કાનગડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગો, ખાસ કરીને સૌરાષ્ટ્રના MSME અને સ્ટાર્ટઅપ્સને રાષ્ટ્રીય મંચ પર લાવવાનો છે.

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મૂકી જણાવ્યું કે, “આત્મનિર્ભરતા માત્ર આર્થિક નીતિ નથી, પરંતુ રાષ્ટ્રના વિકાસ માટે એક સંકલ્પ છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો આ સંકલ્પને સાકાર કરવામાં મોખરાનું સ્થાન ધરાવે છે. ડિસેમ્બરમાં યોજાનાર ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને એક નવી દિશા આપશે અને આર્થિક સ્વાવલંબન તરફનું એક મજબૂત પગલું સાબિત થશે.”
આ કાર્યક્રમમાં સ્વદેશોત્સવના માર્ગદર્શક અને સહભાગી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના મહાનુભાવોની ઉપસ્થિતિ ખાસ નોંધનીય રહી.
ડિસેમ્બરમાં યોજાનાર ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ આ કાર્યક્રમ ડિસેમ્બર મહિનામાં યોજાનાર ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ ની શૃંખલાનો એક ભાગ છે, જેનો મુખ્ય મહોત્સવ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, GMDC ખાતે તા. ૫ થી ૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાશે. આ મહોત્સવમાં MSME, સ્ટાર્ટઅપ્સ, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગો માટે ખાસ પેવેલિયનનું આયોજન થશે, જેનો હેતુ રોજગાર સર્જન અને રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યને વધુ મજબૂત બનાવવાનો છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો આ વિમોચન સમારોહમાં સ્વદેશી જાગરણ મંચ, સૌરાષ્ટ્ર પ્રાંતની કોર ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી યશ જસાણી (પ્રાંત સહ-સંયોજક), શ્રી ભાર્ગવ ગોકાણી (પ્રાંત યુવા પ્રમુખ), અને શ્રી હાર્દિક વ્યાસ (પ્રાંત વિચાર વિભાગ પ્રમુખ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્વદેશોત્સવના માર્ગદર્શક અને સહભાગી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના શ્રી હંસરાજભાઈ ગજેરા (પ્રદેશ મહામંત્રી) અને શ્રી ગણેશભાઈ થુમ્મર (પ્રદેશ ઉપ-પ્રમુખ) પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વાવલંબી ભારત અભિયાનના રાજકોટ સંયોજક શ્રી મલય રૂપપરા અને સ્વદેશોત્સવના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી વિજય પરેખિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *