બાગાયત યોજનાઓ, જમીન-પાણી વ્યવસ્થાપન અને ખાતરના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું
વલ્લભીપુર તાલુકામાં બાગાયત ખાતા દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ શિબિરમાં જિલ્લા નાયબ બાગાયત નિયામક એમ.બી.વાઘમશીએ બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ
તેમણે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી આપીને ખેડૂતોને તેનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે સમજણ આપી હતી કાર્યક્રમ દરમિયાન નાયબ ખેતી નિયામક જે.એન.પરમારે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામોની વિસ્તૃત માહિતી આપી હતી
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રદીપ કયાડાએ જમીન અને પાણીના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તેમજ તેની યોગ્ય જાળવણી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતુ એસ.બી.વાઘમશીએ ખાતરના વિવેકપૂર્ણ અને સંતુલિત ઉપયોગ અંગે માહિતી આપીને ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા
કાર્યક્રમનું સંચાલન VRTI સંસ્થાના નરેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતુ તેમણે ખેતી અને બાગાયત ક્ષેત્રે આધુનિક અભિગમ અપનાવવાની જરૂરિયાત અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન વલ્લભીપુર તાલુકાના બાગાયત અધિકારી જે.એમ.વઘાસિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ઉપયોગી માહિતી મેળવી લાભાન્વિત થયા.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
















