હર્ષભાઈ સંઘવીએ પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે કરવામાં આવેલ તપ-આરાધના અને ધર્મ કાર્યની હૃદયપૂર્વક અનુમોદના કરી
ભાવનગર નિવાસી ધ્રુવિત કવિતકુમાર શાહ (આસોપાલવ સડી વાળા ) એ નવ વર્ષની ઉંમરમાં 8, દિવસ અને 9,રાત્રી માત્ર જળગ્રહણ કરીને ઉપવાસ કર્યા ત્યારે પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે તપ-આરાધના અને પરિવાર દ્વારા ધર્મ કાર્યનું સિંચન કરવા બદલ કેનીલભાઈ રાજેશભાઈ શાહ, તેજસભાઈ રમેશભાઈ શાહ,વર્ષાબેન રમેશભાઈ શાહ,રિદ્ધિ તેજસભાઈ શાહને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પત્ર લખીને ખૂબ ખૂબ અનુમોદના પાઠવી છે
જૈન ધર્મમાં તપસ્યા એ આત્માને નિર્મળ બનાવવાનું અને પૂર્વ સંચિત કર્મોને ખપાવવાનું સર્વોચ્ચ સાધન છે. આહારનો ત્યાગ કરીને મન, વચન અને કાયાને નિયંત્રણમાં રાખવાની આ સાધના બાદ જ્યારે તપસ્વી પારણું કરે છે, ત્યારે તેનું મહત્ત્વ માત્ર ખોરાક લેવા પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ તેના પાછળ ઊંડો આધ્યાત્મિક અને શાસનિક મહિમા રહેલો છે
સાધનાની પૂર્ણાહુતિ અને શરીર-ધર્મની રક્ષા: તપ એ આત્માને શુદ્ધ કરવા માટે છે, શરીરને કષ્ટ આપવા માટે નથી. તપસ્યા પૂર્ણ થયા બાદ શરીરને પુનઃ ધર્મ-આરાધના અને સંયમના માર્ગે ટકાવી રાખવા માટે જ્ઞાની ભગવંતોની આજ્ઞા મુજબ વિધિપૂર્વક પારણું કરવામાં આવે છે
ઇન્દ્રિય વિજય અને કૃતજ્ઞતા: પારણું એ તપસ્વીના મન અને ઇન્દ્રિયો પર મેળવેલા વિજયનો ઉત્સવ છે. તપ દરમિયાન આહાર અને રસ-રૂચિનો ત્યાગ કર્યા પછી જ્યારે પારણું થાય છે, ત્યારે સાધકમાં સંતોષ, વિવેક અને આહાર પ્રત્યેનો અનાસક્તિનો ભાવ દ્રઢ થાય છે

જૈન પરંપરામાં તપસ્વીને પારણું કરાવવું કે વહોરાવવું એ અત્યંત શ્રેષ્ઠ કાર્ય માનવામાં આવે છે. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના ૪૦૦ ઉપવાસના પારણા વૈશાખ સુદ ત્રીજના દિવસે શ્રેયંસકુમારે ઇક્ષુરસ (શેડીના રસ) થી કરાવ્યા હતા. ત્યારથી જૈન સમાજમાં તપસ્વીના પારણા કરાવવાનો અને તેની અનુમોદના કરવાનો અક્ષય મહિમા ચાલ્યો આવે છે
















