Breaking NewsCrime

અમદાવાદમાં વેપારી પર હુમલો કરી અમરાઈવાડી પોલીસને ચેલેન્જ આપનાર રીઢા ગુનેગારને પીઆઇ મહેતા અને પોલીસ સ્ટાફે ઝડપી લીધો..

અમદાવાદ: અમદાવાદની અમરાઈવાડી પોલીસે છેલ્લા 15 દિવસથી ફરાર અર્જુન મુદલિયાર નામના રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. ગત રોજ રાત્રિના સમયે હાટકેશ્વરમાં વેપારી અજય અય્યર પર છરી વડે હુમલો કરી ફરાર થઇ ગયો હતો. અગાઉ ઝઘડાની અદાવત રાખી આરોપી અર્જુન મુદલિયારે સમાધાન કરવાને બહાને વેપારી અજય અય્યરને બહાર બોલાવી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીની માતા નિર્મલા મુદલિયાર પણ સામેલ હતી. હાલ અમરાઇવાડી પોલીસે નાસતો ફરતો આરોપી અર્જુન મુદલિયારને ઝડપી લીધો છે. ધરપકડ કરાયેલા આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોધાયેલા છે. એટલું નહીં આરોપી છેલ્લા દોઢ વર્ષથી પાસાના વોરન્ટમાં નાસતો ફરતો હતો. ત્યારે હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી અર્જુન ની ધરપકડ બાદ પોલીસ તપાસમાં એક મહત્વપૂર્ણ જાણકારી પણ સામે આવી છે. ઇન્સપેક્ટર ડી.બી.મહેતાએ જણાવ્યું હતું કે, અર્જુન ‘પાસા’ ના વોરેન્ટ સામે ઘણા સમયથી ફરાર હતો. જેમાં પોલીસ હવે તેને ‘પાસા’ હેઠળ પણ જેલમાં મોકલશે. અર્જુન મુદલિયારના માથે 10 થી પણ વધુ ગુના નોંધાયેલા છે. જેમાં પ્રોહીબિશન, બળાત્કાર, મારામારી જેવા ગંભીર ગુનાઓ સામેલ છે. હાલ અરાઇવાડી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત

પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર મહિલા પોલીસ સ્ટેશન તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની ઉત્કૃષ્ટ કામગીરી

સ્નેપ ચેટ ના માધ્યમ દ્વારા થયેલ પ્રેમ સબંધ માં છ માસ બાદ પ્રેમી દ્વારા ફોટા…

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *