સત્ય બહાર આવશે ભાદરવી મેળા ની આવક ની બચત ના રૂપિયા કોણ કોણ ખાઈ ગયા કે પછી ભષ્ટ્રાચાર અધિકારીઓ કે શું …??
સત્ય બહાર આવશે ટકાવારી થી અને હલકી ગુણવત્તા ના કામો માંથી કોણી કોણી તિજોરીઓ ભરાય છે
સત્ય બહાર આવશે દાંતા તાલુકા મા દર વર્ષ વિકાસ માટે ખર્ચ કરવામાં આવતા અંદાજિત 50 કરોડ થી વધુ રકમ ના કામો માંથી મલાઈ કોણ કોણ ખાઈ જાય છે
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે કે શક્તિપીઠ અંબાજી વાત કરવામાં આવે તો દિન પ્રતિદિન આ શક્તિપીઠમાં નેતા ફિલ્મી સ્ટાર વગેરેમાં અંબાના દર્શને આવતા હોય છે જાહેર માહિતી ની વાત કરવામાં અંબાજી ભાદરવી મેળા પ્લોટો ની હરાજી મા આવક થાય એ આવક ની બચત ના નાણાં જાહેર ભંડોળ છે અંબાજી ભાદરવી મેળા નો નાણાકીય વ્યવહાર BOB બેંક ના ખાતા થી થતો હતો એટલે બેંક રેકોર્ડ આજે પણ સ્ટેટ મેન્ટ મા હયાત હોય અને આંગળી એક ક્લિક થી આવક જાવક નો હિસાબ મળી જાય પણ અંબાજી ભાદરવી મેળા ની આવક નો દુરુપયોગ તત્કાલીન અધિકારી ઓ દ્વારા કરવામાં આવ્યો છે એ ચર્ચા હતી એ શંકા હવે વિશ્વાસ મા સાબિત થઇ શકે તેમ છે
અંબાજી ભાદરવી મેળા ની આવક માંથી ગોધરા કાંડ પછી ના તોફાનો મા ખોટી સહાય ચૂકવવા મા આવી હતી એ સહાય પરત વસુલ કરવાના બદલે ભાદરવી મેળા ની આવક ની બચત માંથી સરભર કરવાંમાં આવી હતી એ ચર્ચા ઓ થાય છે
દાંતા તાલુકા મા ઘેર ઘેર શૌચાલય મા મોટુ કૌભાંડ થયું હતુ એ કૌભાંડ માં તત્કાલીન DDO દ્વારા કેટલીક એજન્સી ઓ પાસે થી વસુલાત કરવામાં આવી હતી અને કૌભાંડ એટલું મોટુ હતુ કે 2016/2017 મા તત્કાલીન TDO દ્વારા 1કરોડ 50 લાખ રૂપિયા ની ફિક્સ ડિપોઝીટ કરવામાં આવી હતી એ ડિપોઝીટ ગેરકાયદેસર તોડી ને શૌચાલય કૌભાંડ માં આ નાણાં નો ઉપયોગ સરભર કરવા મા આવ્યો હોવા ની ચર્ચા ઓ છે
ફિક્સ ડિપોઝીટ પણ ઓન રેકર્ડ પુરાવા બેંક પાસે હોય જ છે
આ રેકર્ડ બેંક નું હોવાથી નાશ કરી શકાય એ શ્રેણી મા રેકર્ડ આવતું નથી
આ સિવાય ભાદરવી મેળા ની બચત થયેલી આવક માંથી તત્કાલીન પ્રમુખ દ્વારા ગાડી પ્રમુખ માટે ખરીદવા માં આવી હતી પંચાયત અધિનિયમ માં પ્રમુખ ને સત્તાવાર વાહન ની ફાળવણી કરવા મા આવતી નથી
માહિતી અધિનિયમ 2005 હેઠળ અમુક નકલો જ મળી શકે એવો કોઇ નિયમ નથી અરજદાર ફ્રી ભરવા તૈયાર હોય તો પણ સમય મર્યાદા મા માહિતી આપે તો અમર્યાદિત નકલો આપવી જ પડે
સમય નો વેડાફાટ એ માહિતી અધિકારી એ કારણ બતાવી ને જવાબ આપી શકે નહી
ભૂતકાળ મા અનેક કિસ્સા મા રાજ્ય માહિતી આયોગ દ્વારા સમય નો વેડાફટ ચૂંટણી કામગીરી ના બહાના બતાવી ને માહિતી ના આપી હતી એવા અધિકારી ઓ ને દંડ કરવામાં આવ્યો છે અને અરજદાર ને માહિતી પુરી પાડવા નો આદેશ પણ કરેલો છે
માહિતી આયોગ મા અપીલ અને આ જાહેર નાણાં નો અંગત ફાયદા માટે તત્કાલીન અધિકારી ઓ દ્વારા કરવા મા આવેલા દુરુપયોગ બાબત મા અધિકારી ઓ ને બચાવવા માટે માહિતી આપવા મા આવતી નથી એ ચોક્કસ કારણ બને છે
હાલ ના માહિતી અધિકારી અને TDO દ્વારા ઈરાદા પૂર્વક આ સત્તાવાર રેકર્ડ નો નાશ કરવા મા આવ્યો હોય એ કારણ પણ બની શકે છે
ભૂતકાળ મા મહારાષ્ટ્ર હાઇકોર્ટ દ્વારા માહિતી આયોગ ના આદેશ બાદ માહિતી પુરી ના પાડાનાર અધિકારી ઉપર હાઇકોર્ટ એ રેકર્ડ નો નાશ કરવા નો ગુનો દાખલ કરવા નો આદેશ કરેલ છે
સત્ય ગમે એટલું છુપાવવા નો પ્રયત્ન કરી લો સત્ય બહાર આવશે
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ પાસે છેલ્લા બે વર્ષ થી ભાદરવી ની આવક જમા થાય છે બાકી ના 23 વર્ષ ની ભાદરવી મેળા ની આવક માથી બચત થયેલી રકમ નો હિસાબ આપવાની જવાબદારી તાલુકા પંચાયત ની જ રહે છે
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી















