પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માની પ્રેરણાથી શુક્રવારે જૂનાગઢ રેલવે સ્ટેશન પર ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગન તેમજ સહાયક કાર્મિક અધિકારી શ્રી સંતોષ વર્મા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંગીત, નૃત્ય, ભાષણ, મ્યુઝિકલ ચેર સહિત વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે કર્મચારીઓ અને તેમના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા અને પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ, આનંદ અને પારિવારિક સૌહાર્દનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તમામ કાર્યક્રમો અત્યંત સફળતાપૂર્વક અને આકર્ષક રીતે પૂર્ણ થયા હતા. સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાગીઓને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી અને સહાયક કાર્મિક અધિકારી દ્વારા પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે સહાયક કાર્મિક અધિકારી શ્રી સંતોષ વર્માએ કર્મચારીઓને પોતાના કર્તવ્યો પ્રત્યે સતર્ક રહેવા, કાર્યસ્થળે સ્વચ્છતા જાળવવા તથા જીવનમાં સતત પ્રગતિ માટે પ્રયત્નશીલ રહેવા પ્રેરિત કર્યા હતા.
જ્યારે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગને કર્મચારી ભવિષ્ય નિધિ (PF) સંબંધિત વિવિધ લાભો અને સુવિધાઓ અંગે કર્મચારીઓને વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે માત્ર મનોરંજનનો અવસર જ નહીં, પરંતુ પરસ્પર સંવાદ, જાગૃતિ અને સંગઠનાત્મક એકતાને વધુ મજબૂત બનાવવામાં પણ સહાયક સાબિત થયો હતો. પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ ભવિષ્યમાં પણ કર્મચારીઓના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે આવા કાર્યક્રમોનું આયોજન કરતું રહેશે.
















