વિધર્મીઓ બે દીકરીઓને અપહરણ કરી રાજ્ય બહાર લઈ જવાની ફિરાકમાં હતા SP નિતેશ પાંડૈય
ઉમરાળા પંથકની બે દીકરીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જઈ અને અપહરણની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને વિધર્મી યુવકો રંઘોળા નજીક આવેલા ગઢુલા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે, અપહરણ કરાયેલી બે દીકરીઓમાંથી એક દીકરી સગીર વયની હોવાનું પણ જાણવા મળ્યું છે.
વહેલી સવારે ઘટનાની જાણ થતાં જ ઉમરાળા પોલીસ, ભાવનગર એલસીબી, એસઓજી અને બરવાળા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસની સંયુક્ત ટીમે અસાધારણ સતર્કતા, ઝડપી આયોજન અને અદભૂત ટીમવર્ક સાથે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માત્ર ત્રણ જ કલાકમાં અન્ય જિલ્લામાંથી બંને દીકરીઓને વિધર્મી યુવકોના ચુંગાલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી.
હાલ ઉમરાળા પોલીસ આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
એક બાબત ખાસ નોંધવા જેવી છે કે, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડૈય માર્ગદર્શન હેઠળ છેલ્લા છ એક મહિનામાં સમગ્ર જિલ્લામાંથી 14 દીકરીઓના આ પ્રકારે અન્ય ધર્મના યુવકો દ્વારા અપહરણની ઘટના સામે કડક કાર્યવાહી કરવામાં આવી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
















