Ahmedabad

અમદાવાદ ખાતે નિઃશુલ્ક કર્જ મુક્ત ભારત અભિયાનના કાર્યાલયનો શુભારંભ કરાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવરંગપુરા ખાતે નિઃશુલ્ક કર્જ મુક્ત અભિયાનના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.

દેશભરમાં વિવિધ લોન જેવી કે કાર લોન હોમ લોન વહિકલ લોનના હપ્તા ન ભરી શકતા વિવિધ બેંકો અને આ હપ્તા વસુલ કરનાર કર્મીઓ દ્વારા તંગ આવી ઘણા લોકો આત્મહત્યા કરી રહ્યા છે

ત્યારે આ સમસ્યા સામે કર્જ મુક્ત ભારત અભિયાન સંસ્થા સતત લડત આપી રહી છે અને જે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ સમસ્યાનું નિવારણ આવે તે જેથી લોકો આત્મહત્યા ન કરે તે માટે સતત પ્રયત્ન કરી રહી છે જે સંદર્ભે ગુજરાત ખાતે આ સંસ્થાની હેડ ઓફિસનું ઉદ્ઘાટન નવરંગપુરા, ક્રિષ્ના કોમ્પ્લેક્ષ ખાતે આ અભિયાનના પ્રણેતા શાહનવાઝ ચૌધરી દ્વારા ગુજરાતના લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાતના પ્રભારી રાજેશ્વર બ્રહ્મભટ્ટ ભારતીય, મનોજ ઠાકોર ભારતીય, ગોવિંદ અવસથી ભારતીય, રાકેશ પટેલ ભારતીય સહિત મોટી સંખ્યામાં આ સમસ્યાનો ભોગ બનેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાહનવાઝ ચૌધરી દ્વારા ઉપઅસ્થિત લોકોની સમસ્યા અને રજૂઆતો સાંભળી હતી

અને આ પ્રશ્ન જલ્દી સરકાર સામે મુકવામાં આવે અને તેનો ઉકેલ સરકાર લાવે તેવી બાંયધરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કર્જના બોજ હેઠળ અત્યાર સુધી કેટલા લોકો દ્વારા આત્મહત્યા કરવામાં આવી તેની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી દેશભરમાંથી આશરે દોઢ લાખ લોકો આ અભિયાનમાં જોડાયા છે અને આવનાર સમયમાં લાખોની સંખ્યમાં લોકોને એકત્ર કરવામાં આવશે જે લોકો આ સમસ્યાનો ભોગ બન્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી…

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ…

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *