Ahmedabad

અમદાવાદના અખબાર નગર ખાતે કાળઝાળ ગરમીમાં લોકો માટે ઠંડી છાશનું વિતરણ કરાયું

સંજીવ રાજપૂત, અમદાવાદ: અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે ઠંડી છાશનું કરાયું વિતરણ. હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આગ વરસાવતી ગરમીમાં પણ પેટ માટે લોકો રળિયું રળતા હોય છે અને ગરમીમાં પણ પોતાનું ગુજરાન ચલાવવું પડતું હોય છે

ત્યારે સમસ્ત કાર્યરત લોકો માટે પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસ નિમ્મીતે શંભવનાથ ગ્રુપ તરફથી રાહગીરીઓને ગરમીમાં ઠંડી છાશના વિતરણ કાર્યક્રમનું આયોજન ચૂલા ચા, ઢોસા ડ્રિમ, અખબાર નગર પાસે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ ઠંડી છાસનો લાભ લેતા નજરે જોવા મળ્યા હતા.. આ પ્રસંગે ગ્રૂપના સુધીરભાઈ દોશી, પ્રકાશભાઈ શાહ, રમેશભાઈ શાહ, કનુભાઈ પટેલ, અશ્વિનભાઈ શાહ, વિરલભાઈ (ડ્રિમ ઢોસા), દેવાંગભાઈ શાહ, ભોલાભાઈ ચૂલા ચાવાળા, સહિત અન્ય લોકોએ ઉપસ્થિત રહી 520 લીટર છાશનું વિતરણ કર્યું હતું. તો રાહદારીઓ પણ આ અસહય ગરમીમાં છાશ પી ગરમીમાં રાહત લેતા તેમના આ કાર્યને બિરદાવતા જોવા મળ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી…

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ…

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *