Ahmedabad

રાજસ્થાન સેવા સમિતિની રાજસ્થાન સ્કૂલ દ્વારા મૃતકકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા રાજસ્થાનના સહિત સમસ્ત મૃતકોને સ્કૂલના બાળકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

12 જૂનના રોજ અમદાવાદ ખાતે એર ઇન્ડિયના વિમાન દુર્ઘટના ઘટી જેમાં આશરે 250થી ઉપર લોકોના મૃત્યુ થયા જે વિશ્વભર માટે એક ગોઝારી ઘટના સાબિત થઈ. જેમાં દેશ વિદેશ રાજ્ય અને અનેક અન્ય રાજ્યોના લોકો મોતના મુખમાં ધકેલાયા.

આ ઘટનાની અસર તમામ નાગરિકો પર જોવા મળી જેના ભાગરૂપે અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ રાજસ્થાન સેવા સમિતિ દ્વારા ચાલતી રાજસ્થાન સ્કૂલના બાળકો અને ટ્રસ્ટીઓ દ્વારા આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં શહેરના પ્રથમ નાગરિક મેયર પ્રતિભાબેન જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સ્કૂલના ટ્રસ્ટી, સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે પ્રાર્થના યોજી હતી અને રાજસ્થાન સહિત તમામ મૃતકોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન દ્વારા દિવંગત સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શ્રદ્ધાંજલિમાં ટ્રસ્ટી અશોક ભાઈ બાપના ટ્રસ્ટી, દીપચંદજી બાપના- સેક્રેટરી, બાબુલાલજી શેખાણી, કો ચેરમેન, મહેશભાઈ છાજેડ, ટ્રસ્ટી, રાજેન્દ્ર બાગરેચા, સહમંત્રી, વિજય વર્ગીય સહિત અગ્રણીઓ, સ્કૂલ ના સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક…

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ યોજાયો

ગુજરાત પ્રાંતીય રાષ્ટ્ર્ભાષા પ્રચાર સમિતિ સંચાલિત મેનાબા બબાભાઈ પટેલ રાષ્ટ્રભાષા…

1 of 29

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *