Ahmedabad

અમદાવાદ ભુલાભાઈ પાર્ક ખાતે શ્રી બહુચર માતા ચોકનું નવીનીકરણ કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ માં આવેલ ભુલાભાઈ પાર્ક ખાતે શ્રી બહુચર માતા ચોકનું નવીનીકરણ કરાયું. 2 હજાર કિલો વેસ્ટ મેટલથી બનાવાયેલા કૂકડાના સ્કલ્પચરનું ઉદ્ઘાટન કરાયું.

અમદાવાદ શહેરના નવાપુરા વિસ્તાર, ભુલાભાઈ પાર્ક પાસે આવેલ નવાપુરા બહુચરાજી મંદિર સામેના શ્રી બહુચર માતા ચોકનું સુંદર નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણ કાર્ય ભુલાભાઈ પાર્ક સ્થિત પાર્થ આંખની હોસ્પિટલના આંખના સર્જન ડો. જગદીશ રાણાના સહયોગથી કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન (મેયર, અમદાવાદ), દેવાંગ દાણી (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી), દિનેશભાઈ મકવાણા (સંસદ સભ્ય), ધર્મેન્દ્ર શાહ (પૂર્વ પ્રમુખ, ઔડા) તેમજ ભૂષણભાઈ ભટ્ટ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

નવીનકરણના ભાગરૂપે ચોકને સૌંદર્યપૂર્ણ બનાવવામાં આવ્યો છે અને તેની વચ્ચે સ્થાપિત કરવામાં આવેલ કૂકડાનું આકર્ષક સ્કલ્પચર ખાસ ધ્યાન ખેંચે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કૂકડો શ્રી બહુચરાજી માતાજીનું પ્રિય વાહન માનવામાં આવે છે, જેના કારણે આ સ્કલ્પચર માત્ર કલાત્મક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. ખાસ વાત એ છે કે આ 2000 કિલો વેસ્ટ મેટલના પુનઃઉપયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાર્થ આંખની હોસ્પિટલના ડો. જગદીશ રાણાએ વધુ માહિતી આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવા વાડજ ખાતે મેયર પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક”નું નામાભિધાન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ…

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *