bhavnagar

યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશનમાં રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારની ફરી નિમણૂંક

સિહોરનું ગૌરવ વધારતા બંને આગેવાનોને દેશભરમાંથી શુભકામનાઓ

યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત પ્રદેશમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા આગેવાનોની ફરી નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશના કલ્ચર અને પીસ પ્રેસિડન્ટ તરીકે રાકેશભાઈ મુનિ તથા ભાવનગર જિલ્લાના જિલ્લા પ્રમુખ તરીકે હરીશભાઈ પવારને ફરી એકવાર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિયુક્તિથી સિહોર શહેરનું નામ ફરી એકવાર ગૌરવભેર ઉજાગર થયું છે. બંને આગેવાનોએ તેમની નિષ્ઠા, સેવાભાવ અને સમાજ માટેની સક્રિય કામગીરી દ્વારા પોતાના પદને યોગ્ય ઠરાવ્યું છે.

ફાઉન્ડેશનના ઇન્ડિયા પ્રેસિડેન્ટ પ્રિયંકા અરોરાજી દ્વારા બંને આગેવાનોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેઓ આગળ પણ પોતાની વિશ્વાસનીય કામગીરી અને સેવાભાવી પ્રવૃત્તિઓ યથાવત રાખીને સમાજમાં સકારાત્મક યોગદાન આપતા રહેશે

આ અવસરે સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સંચાલિકા રાજ્યોગીની બ્રહ્માકુમારી ગીતા બહેને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારે માત્ર સિહોર જ નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે અને તેઓ આગળ પણ દિન પ્રતિદિન પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સાથે સાથે સિહોરની અનેક ગણમાન્ય વ્યક્તિઓએ પણ બંને આગેવાનોને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

સદગુરુ બજરંગદાસબાપાનો ગુરૂઆશ્રમ ભાવ - શ્રદ્ધા સાથે ભક્તોના માનવ મહેરામણથી છલકાયો…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

1 of 82

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *