bhavnagar

પાલીતાણા તાલુકાના માલપરાથી તળાજા ને જોડતો બાયપાસ માર્ગ ની સર્વેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી

સાત કિલોમીટર નો લાંબો બાયપાસ નો સર્વે કાઢતા પાંચ ગામના ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

પાલીતાણા થી તળાજાને જોડતો મુખ્ય માર્ગ છે તેના બાયપાસ રોડ માટે છેલ્લા ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ લોકો માંગ કરી રહ્યા હતા કે પાલીતાણા થી તળાજા ને જોડવા માટે બાયપાસ રસ્તો કાઢવામાં આવે કારણ કે પાલીતાણા શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ પાર નથી જેના કારણે અવારનવાર ટ્રાફિકજામ ની સમસ્યાઓ થતી હોય છે

જેના કારણે લોકોની માંગને ધ્યાને લઈને સરકાર દ્વારા પાલીતાણા તળાજા માટે બાયપાસ રોડની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ આ સર્વેની કામગીરી શરૂ થતા જ પાંચ ગામના ખેડૂતો ક્યાંકને ક્યાંક નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે

જેને લઈને પાંચ ગામના ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે આ સર્વેની કામગીરી છે તે બાયપાસ રોડની સાત કિલોમીટર લાંબી કાઢવામાં આવી રહી છે જેમાં આ કામગીરીમાં પાંચ ગામના ખેડૂતોની જમીન કપાતમાં આવે છે અને જેમાં સરકારને પણ લાંબો ખર્ચ થઈ શકે છે તો સરકારને આ તમામ વસ્તુ ધ્યાને લઈને સારો વિકલ્પ કાઢવો જોઈએ તેવી ખેડૂતોની માંગ છે

પાલીતાણા તાલુકાના પાંચ ગામના ખેડૂતોનું કહેવું છે કે આ બાયપાસ રોડની સર્વેની કામગીરી માલપરા થી ડેમ પાસે આવેલ આલ્કોલ ફેક્ટરી સુધીની કાઢવામાં આવી છે જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન કપાતમાં જાય છે અને ખેડૂતોને પોતાની ખેતીમાં નુકસાન આવી શકે તેમ છે અને આ બાયપાસ કાઢવાની લંબાઈ પણ અંદાજે સાત કિલોમીટર જેવી છે

જેમાં સરકારને પણ મોટો ખર્ચ ચૂકવવો પડે તેમ છે જો આ રસ્તાની તળાજા રોડ ઉપર આવેલ વડલી આસપાસ બાયપાસ રસ્તા માટેની સર્વેની કામગીરી કરવામાં આવે તો ખર્ચ પણ ઓછો આવી શકે અને જ્યાં મોટા ભાગની સરકારી જગ્યા વાપરવા મળે તેમ છે ખેડૂતોનું કહેવું છે કે જ્યાં ઓછો ખર્ચ અને ખેડૂતોને જમીન કપાત નથી આવતી અને સરકારી જગ્યા છે

તેવામાં સર્વે કરવામાં નથી આવી રહ્યું અને જાણી જોઈને મોટો ખર્ચ કરવા જઈ રહ્યા છે જેથી ખેડૂતોને પણ ખૂબ મોટી નુકશાની આવી શકે તેમ છે જેને લઈને પાલીતાણા તાલુકાના માલપરા, લુવારવાવ, જામવાળી, મોટી પાણીયાળી, નાની પાણીયાળી સહિત પાંચ ગામના ખેડૂતો ભેગા મળીને ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

રીપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

સિહોર શહેરમાં સત્તાધીશોના પાપે ૪૭ કરોડની ગ્રાન્ટ છતાં લોકો ગટર સુવિધા થી વંચિત : જયરાજસિંહ મોરી

સિહોર માં ભાજપના શાસનમાં સ્વચ્છતા ની માત્ર મોટી વાતો થઈ છે અને સ્વચ્છતા અભિયાનના…

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

1 of 49

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *