bhavnagar

સ્વચ્છ ગામના નામે સરકારને બદનામ કરતુ તંત્ર ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકીના ગજં ખડકાયા

સ્વચ્છ ગામના નામે પ્રજાના પરસેવાની કમાણીના પૈસાનો ધુમાડો કરતુ તંત્ર

ઉમરાળા તાલુકામાં ગંદકીને લઈ આરોગ્ય તંત્રનું ભેદી મૌન ભયંકર રોગશાળો ફેલાવાની શક્યતા

ઉમરાળા તાલુકાના ગામડાઓમાં સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ અંતર્ગત સરકાર તરફથી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ ગ્રામ પંચાયતો અને તલાટી કમ મંત્રીઓની મનમાની કારણે ગામડાઓમાં ગંદકીના ગંજ ખડકાયા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે

આરોગ્ય વિભાગનું સૂચક મૌન ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ગંભીર રોગશાળો ફેલાવાની શક્યતા તંત્ર દ્વારા ગામોમાં ‘સ્વચ્છ ગામ ૨૦૨૪- સ્વભાવ સ્વચ્છ,સંસ્કાર સ્વચ્છ” અંતર્ગત ગાંધીજીની જન્મજયંતિ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રા)ના ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે ૨જી ઓકટોબરને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવેલ પણ સફાઈના નામે ફોટો સેશન યોજાયા સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કર્યો કચરો કે ગંદકી તો દૂર કરાઈ નથી

સરકાર દ્વારા કરોડો રૂપિયા સ્વચ્છ ગામ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે એક વર્ષથી સફાઈ માટે ની ગ્રાન્ટ અપાઈ છે પણ તલાટી કમ મંત્રીઓ અને ગ્રામ પંચાયતની મનમાની ના કારણે ગ્રાન્ડ વપરાતી નથી સરકાર બદનામ થઈ રહી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *