bhavnagar

શ્રુષ્ટીના દરેક જીવમાં પરમાત્મા વસે છે

જીવદયા હોસ્પિટલ અગિયાળીમાં પશુ પક્ષીઓની નહિં, પરમાત્માની સેવા થઈ રહી છે : જગતગુરુ શંકરાચાર્ય

જીવદયા હોસ્પિટલ અગિયાળીની મુલાકાત લેતા જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી

ભાવનગર , તા. ૧૩/૧૦/૨૦૨૪

ભાવનગરના સિહોર તાલુકાના અગિયાળી ખાતે આવેલ પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલની અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે આજે તા.૧૩મી ઓક્ટોબર રવિવારે મુલાકાત લીધી હતી.

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે અબોલ પશુઓ અને પક્ષીઓની વિનામુલ્યે સારવાર ઉપચાર ઓપરેશન પુનઃવસન સેવા અંગે માહિતી મેળવી હતી. અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. જીવદયા સેવામાં જોડાયેલા તમામને આશિર્વાદ આપ્યા હતા.

પૂજ્ય શંકરાચાર્ય મહારાજે આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે, દરેક જીવ માત્રમાં પરમાત્મા વસે છે. અહીં જીવદયા હોસ્પિટલ અગિયાળીમાં પશુ પક્ષીઓની નહિં પરંતુ પરમાત્માની સેવા થાય છે. આ સેવા અનન્ય છે. જીવદયા સેવાનો વેગ અને વ્યાપ વધે તે સમયનો તકાદો છે.

પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલના સંચાલક અને સ્ટાફ પરિવારે પૂજ્ય શંકરાચાર્ય, ગોપનાથ મહાદેવ જગ્યાના ગાદીપતિ પૂ.સીતારામબાપુ તથા ઉપસ્થિત સંતો મહંતશ્રીઓનું ફુલહારથી સ્વાગત કરી આશિર્વાદ મેળવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા પીએનઆર શાહ મહિલા કોલેજની વિદ્યાર્થીની બેહાનો રનર્સ અપ બની પાલીતાણા તેમજ પાલીતાણા કોલેજનું નામ રોશન કર્યું

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડી બહેનોની સ્પર્ધા…

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

1 of 44

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *