bhavnagar

ક્ષત્રિય કરણીસેના પરીવાર સિહોર તથા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સિહોર દ્રારા ક્ષત્રિય કરણીસેના પરીવાર ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી ને ખોટી રીતે ભાવનગર એલ સી બી પોલીસ હેરાનગતી કરતા સિહોર ડેપ્યુટી કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપી રજુઆત કરવામા આવી

ભાવનગર એલ.સી.બી પોલીસની જોહુકમી બાબત

જય ભારત સાથ આપ સાહેબશ્રીને જણાવવાનું કે ગત તારીખ ૨૨/૦૫/૨૦૨૪ના રોજ રાત્રીના ૧૧:૩૦ કલાકે અમારી ક્ષત્રિય કરણી સેનાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી જેઓ શિહોર પોતાના અંગત કામથી મિટિંગ પતાવીને બુધેલ આવી રહ્યા હતા ત્યારે ટોપ થ્રી લોર્ડ્સ હોટેલ પાસે મોટો કાફલો લઈને ઉભેલા એલ.સી.બી. પી એસ આઈ ધ્રાંગુ દ્વારા ભવાનીસિંહની ગાડી ઉભી રખાવી એમને ગેરકાયદેસર રીતે નંબર પ્લેટ વગરની પ્રાઈવેટ ગાડીમાં બેસાડીને એલ.સી.બી ઓફિસ લઈ ગયા હતા,

ત્યારે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આવી રીતે સાવ ગેરકાયદેસર રીતે ઉપાડી ગયા ત્યારે સમાજમાં રોષ ફાટી નીકળો હતો અને ભવાનીસિંહે એવો તો ક્યો ગુનો કર્યો હતો તો પોલીસને આવી રીતે ભવાનીસિંહને રોડ પરથી અટક કરવાની ફરજ પડી અને સાથો સાથ એમની ફોરવિલ કાર પણ કબજે લેવાની ફરજ પડી!?

આ બનાવની જાણ થતા મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને આગેવાનો એલ.સી.બી ઓફિસ દોડી ગયા હતા ત્યારે ભવાનીસિંહને બળજબરી પૂર્વક કોઈ ગુનો કબુલવવાની પેરવી ચાલી રહી હતી એ સમયે આગેવાનો પહોંચી જતા ક્યાં કારણસર ભવાનીસિંહની ધરપકડ કરવામાં આવી એવી પુચ્છા કરતા કોઈપણ જાતની ફરિયાદ કે ગુનો ના હોવાના કારણે આખરે ભવાનીસિંહને છોડી મૂકવામાં આવ્યા હતા આ તો કેવી પોલીસની જોહુકમી કે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સામાજિક આગેવાનને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી.

ભવાનીસિંહ મોરી બુધેલ ગામના પૂર્વ સરપંચ અને ખૂબ જ પ્રતિષ્ઠિત સામાજિક આગેવાન છે અને જન સેવાના કાર્યો કરે છે તેમના કાર્યકાળ દરમિયાન પોતાના ગામમાં ખૂબ જ વિકાસના કામો કરીને ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિષ્ઠા મેળવી છે

તેમજ ગામમાં ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવી છે જેમ કે ગેરકાયદે જમીનોના દબાણ ખાલી કરાવવા,દારૂનું વેચાણ બંધ કરાવવું જેવા કર્યો કર્યા છે ત્યારે આ પોલીસ અધિકારીઓ દ્વારા રાજકીય ઈશારે ભવાનીસિંહને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે

અને ગુનેગારોને અને બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે ત્યારે આવા પોલીસ ખાતા માટે કલંકરૂપ એવા એલ.સી.બી. પી એસ આઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવાનીસિંહને કોના રાજકીય ઈશારે આવી ગેરકાયદેસર રીતે ધરપકડ કરવાની ફરજ પડી એ પણ રહસ્ય ખોલવામાં આવે એવી અમારી આપ સાહેબ સમક્ષ રજૂઆત છે.
આ બાબતની ગંભીરતા ધ્યાને લઈને જવાબદાર પોલીસ અધિકારી પી.એસ.આઈ ધ્રાંગુ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવે નહીતો અમારે ક્ષત્રિય કરણી સેનાએ સમગ્ર ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જેની નોંધ લેશો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 62

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *