bhavnagar

માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન સહિત સાતધીશો ની ઘોર બેદરકારી સામે આવી

ભાવનગર તાલુકા અને ઘોઘા તાલુકા ના ખાતેદાર ખેડૂતો, મજૂરો, અને યાર્ડ ના વેપારીઓ નો દર વર્ષે અકસ્માત વીમો યાર્ડ પોતાના ખર્ચે પ્રીમિયમ ભરીને વીમો ઉતારતા હોય છે. જે વીમો ભરવાનું યાર્ડ ના નવા ચેરમેન અને જવાબદાર અધિકારીઓ ભૂલી ગયા

1,47,600 ખેડૂતો નો ગયા વર્ષે ભાવનગર માર્કેટિંગયાર્ડ પોતાના ખર્ચે અકસ્માત વીમો લીધેલ હતો જે આ વર્ષે 15 તારીખે પૂરો થતો હોય નવો વીમો લેવાનો હતો જે ભુલાઈ ગયો

16 તારીખે ચૂંટણી જાહેર થઈ જતા આચારસંહિતા લાગી ગઈ હોવાથી હવે ચૂંટણી પુરી થાય ત્યાં સુધી વીમો ઉતરી ના શકે, જો યાર્ડ ના નવા ચેરમેને ધાર્યું હોત તો 15 તારીખ અગાઉ આયોજન કરીને વીમો લઈ લીધો હોત

આવનારા 3 મહિના સુધી આ 1,47,600 ખેડૂતો માંથી કોઈનો અકસ્માત થાય તો વળતર ની જવાબદારી કોની

ગઈ 7 તારીખે ભાજપ ની બહુમતી સાથે ચૂંટાઈ ને આવેલી બોડી દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિયુક્તિ કરાઈ હતી

ચેરમેન ખેડૂતો ના વિકાસ ની વાત કરતા હતા ચૂંટાયા ત્યારે, જયારે આ ઘટનાથી સાબિત થાય છે કે યાર્ડ નું નવું મેનેજમેન્ટ કેટલું બેદરકાર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

1 of 40

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *