bhavnagar

ગઢડા ભાજપમાં ભડકો: નમો સેવા કેન્દ્રના બોર્ડ ઉતારી લેવાયા

પૂર્વ જિલ્લા પ્રમુખે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

પ્રદેશ નેતાગીરીની કડક સૂચના બાદ ઓફિસને તાળાબંધીની ચર્ચાઓથી રાજકારણ ગરમાયું

વલ્લભીપુર તારીખ
ગઢડા મતવિસ્તારના ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવ્યો છે. થોડા દિવસો પૂર્વે જ ધામધૂમથી શરૂ કરવામાં આવેલા ‘નમો સેવા કેન્દ્ર’ પરથી રાતોરાત બોર્ડ ઉતારી લેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાજેતરમાં લીમડા ગામે સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયાએ મંચ પરથી ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો કરતા સન્નાટો વ્યાપી ગયો હતો. પક્ષના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચેના આ વિવાદને પ્રદેશ નેતાગીરીએ ગંભીરતાથી લીધો હોવાનું જણાય છે.

ઉપરથી આદેશ મળ્યાની ચર્ચા રાજકીય ગલીયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે કે, આ જાહેરમાં થયેલી નિવેદનબાજીને પગલે પ્રદેશ અને જિલ્લા પ્રમુખ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિવાદ વધતા મોવડીમંડળ દ્વારા ઓફિસ બંધ કરી દેવા સુધીની સૂચના અપાઈ છે, જેના પરિણામે સેવાનું કેન્દ્ર ગણાતી ઓફિસ પરથી બોર્ડ હટાવી લેવામાં આવ્યું છે.

હાલમાં આ ઘટનાને પગલે ભાજપના કાર્યકરોમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાક્રમ સંદર્ભે મુકેશ લંગાળિયાનો ટેલિફોનીક સંપર્ક કરવા પત્રકારોએ ફોન કરતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી તેમનો પક્ષ જાણવા મળ્યો નથી.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *