bhavnagar

પાલીતાણાના આદપુર ગામે વાડી વિસ્તારમા દીપડાએ હુમલો કરતા એક મહિલાનું મોત

પાલીતાણાના આદપુર ગામે દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત વાડી વિસ્તારમા રહેતા કાંતુબેન નામના મહિલા પર દીપડાએ હુમલો કર્યો વન વિભાગને જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે હતી અને દીપડાના હુમલાથી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાને સારવાર અર્થે ભાવનગર ખસેડવામા આવી અને જ્યાં સારવાર દરમિયાન મહિનાનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ મહિલાની બોડીને પીએમ અર્થે ખસેડવામાં આવી છે

પાલીતાણાના આદપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા કાન્તુબેન ગોબરભાઈ મકવાણા નામના મહિલા ઉપર આજરોજ વહેલી સવારના પાંચથી સાડા પાંચ ના અરસામાં દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર કાંતુબેન નામની મહિલા છે

તે પોતાના ઘરના ખૂણા પાસે પાંચ વાગ્યાના અરસામાં બાથરૂમ જવા માટે બહાર નીકળ્યા હતા અને જ્યાં સામેની કાટમાંથી તેમના પર દીપડાએ હુમલો કરી દીધો હતો અને હુમલો થતાં તેમના પરિવારજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફોરેસ્ટ વિભાગને જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિત તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું

જેને લઈને મહિલાની બોડીને પીએમ અર્થે ખસેડવામાં આવી છે ત્યારે અવારનવાર વન્ય પ્રાણીઓના હુમલાને લઈને સ્થાનિકોમા ભયનો માહોલ ફેલાઈ છે જેના કારણે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટેની ચાર અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેવું ફોરેસ્ટ અધિકારી બી.ટી પરમાર દ્વારા જાણવા મળ્યું છે

રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોર શહેરમાં સત્તાધીશોના પાપે ૪૭ કરોડની ગ્રાન્ટ છતાં લોકો ગટર સુવિધા થી વંચિત : જયરાજસિંહ મોરી

સિહોર માં ભાજપના શાસનમાં સ્વચ્છતા ની માત્ર મોટી વાતો થઈ છે અને સ્વચ્છતા અભિયાનના…

સાસણ ખાતે સિંહ સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો ભાવનગર જિલ્લાનાં સિંહ દિવસ કાર્યકર્તા જોડાયા

ભાવનગર વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં…

ભાવનગર ડિવિઝનના 3 અધિકારીઓ સહિત 8 રેલ્વે કર્મચારીઓને “વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર”થી સન્માનિત કરાયા

15મી જાન્યુઆરી બુધવારના રોજ મુંબઈના યશવંત રાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે વેસ્ટર્ન…

પ્રેરણા ફાઉન્ડેશનના દ્વારા વન વિભાગના માર્ગદર્શન સાથે પક્ષી બચાવ મહા અભિયાન ને આખરી ઓપ અપાયો

ઉત્તરાયણ નજીક આવતા જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીઓના જીવ બચાવી લેવા સેવામાં લાગ્યા,…

1 of 48

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *