bhavnagar

પાલીતાણા શ્રી એમ.એમ કન્યા વિદ્યાલય ખાતે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા નું સ્થાપન કરવામાં આવ્યું

ભાવનગર જિલ્લા સહિત તાલુકા મથકો પર આજે ગણેશ ચતુર્થી ને લઈને શહેરના અલગ અલગ વિસ્તારો પર વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપનાઓ કરવામાં આવી રહી છે તેના જ ભાગરૂપે પાલીતાણા ખાતે આવેલ શ્રી એમ એમ કન્યા વિદ્યાલય ખાતે દસ દિવસ માટે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે

પાલીતાણા ખાતે આવેલ શ્રી એમ.એમ કન્યા વિદ્યાલય ખાતે ગણપતિદાદાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરતા અહીં અભ્યાસ કરતી 1500 થી વધુ વિદ્યાર્થીનીઓમાં ભારે ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્કૂલના ટ્રસ્ટીગણ થી લઈ આચાર્ય શિક્ષકો તેમજ અહીં અભ્યાસ કરતી તમામ બહેનો દ્વારા દસ દિવસ માટે વિઘ્નહર્તા દેવ ગણેશજીની પૂજન અર્ચન અને પ્રસાદી જેવા તમામ આયોજનો કરવામાં આવેલ છે

શ્રી એમ એમ કન્યા વિદ્યાલય ખાતે વિઘ્નહર્તા દેવ ગણેશજી ની મૂર્તિની વિધિ વિધાન થી સ્થાપના કરવામાં આવી જેમાં પાલીતાણા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મયુરસિંહ સરવૈયા સેક્રેટરી નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ એમએમ કન્યા વિદ્યાલયના આચાર્ય સહિત તમામ શિક્ષક સ્ટાફ દ્વારા પાલીતાણામાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને ભરોડિયા સેજલબેન ની મદદ થી ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિ નું સ્થાપન કરવામાં આવ્યું છે જેને લઈને સમગ્ર શાળા પરિવાર માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલભીપુર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે આજે વલભીપુર તાલુકાના સાલપરા ગામે આવેલ…

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા શિક્ષક દિવસે રંગારંગ કાર્યક્રમનું આયોજન

શિક્ષક દિનના અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બાલ મંદિર અને…

1 of 64

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *