bhavnagar

પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા

પાલીતાણા સિન્ધી સમાજ દ્વારા દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતી ની ધામધૂમ થી ઉજવવામાં આવી હતી

જેમાં પંજાબ પ્રાંતના અમૃતસરના રાગીભાઈ સાહેબ અને હર્ષદીપભાઈ નાં કથા કીર્તન માં સિંધી સમાજ ના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા

અને સવારે ૫ કલાકે પ્રભાત ફેરી અને સાંજે ૬ કલાકે નગર કીર્તન સિંધી કેમ્પ વિસ્તાર માં કાઢવામાં આવ્યું હતું જેમાં સિંધી કેમ્પ વિસ્તાર માં ઠેર ઠેર પ્રસાદી વિતરણ કરવામાં આવી અને તેની સાથે આતીશબાજી પણ કરવામાં આવી હતી

ગુરૂદ્ધારા સાહેબમાં રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને સિંધી કેમ્પ ખાતે આવેલ બન્ને ગુરૂદ્ધારા સાહેબમાં બપોરે તથા રાત્રી ના લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું

જેમાં સિંધી સમાજના લોકોએ વિશાળ સંખ્યામાં લંગર પ્રસાદ નો લાભ લીધો હતો અને ગુરૂનાનક દેવજી ની ગુરુવાણી નામ – સિમરણ કરીને ગુરૂ સાહિબ જી ના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાના જીવન ને ધન્ય બનાવ્યુ હતું

રિપોર્ટર વિશાલ જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *