bhavnagar

પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળીની સેવાનો વ્યાપ વધારાયો

ભાવનગરમાં બિમાર અશક્ત ઘાયલ અબોલ જીવ માટે તદ્દન વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા આપશે

ભાવનગર તા.૧૬/૧૨/૨૦૨૪
ભાવનગર જિલ્લામાં અબોલ જીવની તદ્દન નિ:શુલ્ક સારવાર સેવા માટે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ સિહોર તાલુકાના અગિયાળી ગામ ખાતે કાર્યરત છે.

તેમાં જીવદયા સેવાનો વ્યાપ વધારવા હેતુ આજે તા.૧૬મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ એક આધુનિક એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

જીવદયા સેવા કાર્યનો વ્યાપ વધારવા શાસન સમ્રાટ સમુદાયના પરમ પૂજય આચાર્ય ભગવંત મેરુપ્રભસુરિ મ.સા.ના શિષ્ય પ. પૂ. આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસુરિ મ. સા. તથા વિશ્વસેનસુરિ મ.સા. આદિમુનિ ભગવંત તથા પ.પૂ. સાધ્વીજી ઉદયયશાસ્વીજી મ.સા. અને પ.પૂ. સા.શ્રી વજ્રયશાસ્વીજી મ.સા.ના આશિર્વાદ લેવામાં આવ્યા. ત્યારબાદ દાતાશ્રીઓ, શ્રેષ્ઠીશ્રીઓ અને જીવદયાપ્રેમીઓની ઉપસ્થિતિમાં એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ હતી.

આ તકે જીવદયામાં સહયોગ કરનાર જૈન સંઘ અગિયાળીના સમીરભાઈ પારેખ, બળવંતરાય શાહ, પરેશભાઈ શાહ, રાકેશભાઈ શાહ અને કાંતિભાઈ દવે (શેઠ), રેવાશંકર ધાંધલા, મનુભાઈ લાધવા, રામદેવસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ તકે પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રેમ કંડોલિયાએ જણાવ્યું હતું કે, જીવદયા હોસ્પિટલ અગિયાળી હાલ ભાવનગર, અમરેલી અને બોટાદ એમ કુલ ત્રણ જિલ્લાના અબોલ પશુ પક્ષીઓને સારવાર ઓપરેશન અને પુનઃવર્સન સેવા તદ્દન વિનામૂલ્યે આપી રહી છે.

તેની સેવામાં એનિમલ એમ્બ્યુલન્સનો વધારો થતાં હવે અનેક અશક્ત, બિમાર, ઘાયલ અને વિકલાંગ અબોલ જીવને મોટી રાહત મળશે.

હોસ્પિટલમાં તજજ્ઞ તબીબી ટિમ, રેસ્ક્યુ ટિમ અને પશુ પક્ષીઓની સારસંભાળ માટે વોલિયન્ટર્સ ટિમ છે. જે રાતદિવસ જીવદયાનું સેવા કાર્ય કરી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખોને સુરાપુરા ધામના ભુવાજી દાનભા બાપુ એ ત્રણે પ્રમુખોને આશિવૉદ આપ્યા

ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ વલભીપુર શહેર પ્રમુખ નામદેવ સિંહ પરમાર…

દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 53

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *