Breaking NewsLatest

શિક્ષિત બેરોજગારને લઈને આગામી સમયમાં થનાર મંત્રણામાં ખરા અર્થમાં શિક્ષિત બેરોજગારને અગ્રીમતા આપવા ઉમેદવારોની માંગ

ગુજરાતમાં ઘણા લાંબા સમયથી શિક્ષિત બેરોજગારો અટકેલી ભરતી શરૂ કરવા સરકારને સતત રજુઆત કરતા આવ્યા છે.કોરોનાના કારણે જમીની આંદોલન કરવું શક્ય નથી તેથી ઉમેદવારો દ્વારા ટ્વીટર આંદોલનો થયાથી માંડીને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી આવેદનો આપવામાં આવ્યા છે ત્યારે અંતે સરકાર દ્વારા મંત્રણા માટેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ઉપર સમગ્ર ગુજરાતના શિક્ષિત બેરોજગારો મીટ માંડીને બેઠા હતા પરંતુ આ બેઠકમાં કોઈજ નિર્ણય ન આવતા ઉમેદવારોની આશા પર પાણી ફરી ગયું હતું.
સમગ્ર ગુજરાતમાં આ બેઠકની ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને અનેક શિક્ષિત બેરોજગારોએ આ બેઠકને લઈને અનેક સવાલો ઉભા કર્યા તેમ જ જુદા જુદા સામાજિક સંગઠન વચ્ચે વિવાદ ઉભો થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું.શિક્ષિત બેરોજગાર ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સમાજમાં કોઈ વિખવાદ ઉભો ન થાય બાબતનું ધ્યાન સરકાર દ્વારા રાખીને પછી જ મંત્રણા માટે આમંત્રણ આપવું જોઈએ અને ખરા અર્થમાં જે શિક્ષિત બેરોજગાર હોઈ અને સ્પર્ધાત્મક તૈયારી સાથે જોડાયેલ હોઈ તેમને જ અગ્રીમતા આપવી જેથી કરીને કોઈ સામાજિક વિગ્રહ સમાજમાં ઉભો ન થાય અને ભરતીના ઉમેદવારોને વહેલી તકે ન્યાય મળી રહે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 654

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *