જામનગર: થોડા સમય અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં આઠ દર્દીઓના મોતની કરૂણાંતિકાની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં વધુ એક ઘટના જામનગરની જી.જી.હોસ્પિટલમાં બની છે. હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી અને દર્દીઓને તાબડતોબ બહાર કાઢવા માટે દોડધામ થઇ હતી. જો કે સદ્ નસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નહતી. ફાયર વિભાગના કર્મીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા એક મોટી દુર્ઘટના બનતા અટકી છે. ઘટનાની જાણ થતાં જ ચીફ ફાયર ઓફિસર કે કે બિશનોઈ તાત્કાલિક ટિમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગનો તાગ મેળવી તેઓએ પોતે 5 દર્દીઓ ને બહાર કાઢી ફાયર કર્મીઓની મદદથી અન્યત્ર શિફ્ટ કરી દીધા હતા. બીશ્નોઈ એ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ હું પોતે અહીં ICU માં દાખલ હતો જેના અનુભવના આધારે મેં દર્દીઓને બહાર કાઢ્યા.આમ 9 દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ફાયર ફાઈટરની 5 ગાડીઓની મદદથી આગ પર પૂર્ણ કાબુ મેળવાયો હતો.
અમદાવાદ શ્રેય હોસ્પિટલ જેવું થયું પુરનાવર્તન: જામનગરની કોવિડ GG હોસ્પિટલમાં લાગી આગ. મોટી જાનહાની થતા બચી. ફાયર કર્મીઓને સલામ..
Related Posts
વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…
અંબાજી ખાતે સૌ પ્રથમ વાર માહિતી ખાતા અને પત્રકારો દ્વારા માં અંબાને ધજા ચઢાવવામાં આવી
અંબાજી, સંજીવ રાજપૂત: જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના…
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેતા સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનો ત્રિ-દિવસીય પ્રવાસ…
પાલનપુરમાં પ્રથમ વખત અંગદાન: બનાસમાં અંગદાનની શરૂઆત
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: માણસના મૃત્યુ પછી અંગદાન કરવાની વાત આવે એટલે આપણે એમ…
પીએમ મોદીને રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકો વતી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા…
પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને…
ચલાલામા સહુ પ્રથમ વાર પૉલીસ પરિવારનુ સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ યોજાયો
ચલાલા શ્રી દાનમહારાજની પાવન ભુમી ઉપર સાઇ મંદીરના સાનિધ્યમા સહુ પ્રથમ વાર ચલાલા…
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે
ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…
સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે વિશ્વબંધુતા- દિગ્વિજય દિવસની ઊજવણી
શિકાગો ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલ વ્યાખ્યાનને યાદ કરાયું કપિલ પટેલ…