Latest

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક થાળી એક થેલો અભિયાન અંતર્ગત સાધુ સંતોને આ કુંભ મેળામાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવી રહ્યા છે

પાલીતાણા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું છે પ્રયાગરાજ ખાતે યોજાનારા કુંભમાં શ્રધ્ધાળુઓ ,સાધુ સંતો ને એક થાળી અને એક થેલો આપવાના અભિયાનમાં અગિયારસો થાળી મોકલાશે

અને શેત્રુંજય જૈન યુવક મંડલ દ્વારા 1100 ઠેલાનું યોગદાન અપાયું છે જેને વાજતે ગાજતે પ્રયાગરાજ ખાતે મોકલવા યાત્રા યોજવામાં આવી હતી અને આ યાત્રા ભૈરવપરા વિસ્તારમાં આવેલ ખાખચોક મંદિર થી પ્રારંભ કરવામાં આવી હતી અને શહેરના મુખ્ય માર્ગ પરથી ભૈરવનાથ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી

આ યાત્રા સ્વયંસેવક પીતાંબર કડેલ ની આગેવાની મા યોજાઈ અને અભિયાન પૂરું કરવા પાલીતાણાના સ્વયંસેવકો વેપારીઓ અને આગેવાનોએ ખુબ સહકાર આપ્યો હતો અને ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *