Breaking News

અંબાજી ખાતે યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

શક્તિ,ભક્તિ આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે માઈ ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી ખાતે વિવિઘ રાજકીય નેતાઓ દ્રારા યાત્રાઓ અને રેલીઓ યોજાય છે ત્યારે આજે અંબાજી ખાતે યુવા ભાજપ મોર્ચા દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અંબાજી સર્કિટ હાઉસ થી આ યાત્રા નિકળી હતી અને અંબાજીના માર્ગો પર નિકળી હતી. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી સાશનના 8 વર્ષ પુર્ણ થઇ ગયા હોઇ અને ભારત દેશની આઝાદી ના 75 વર્ષ પુર્ણ થઇ ગયા હોઇ આ નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ભાજપ યુવા મોર્ચા દ્વારા તિરંગા યાત્રા યોજાઇ હતી અને જેમાં અંબાજી ભાજપના નેતાઓ અને કાર્યકરો બાઇક પર ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા

 

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

1 of 346

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *