bhavnagarBreaking NewsGujarat

લાખો રૂપિયાના હીરા ના પેકેટ આશરે ૧૦૦ કેરેટ જેટલા હિરાના પેકેટ નંગ-૩૬ તેના મુળ માલિકને ગણતરીના કલાકોમાં પરત અપાવતી ભાવનગર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર પોલીસ દ્વારા ખુબ જ કરવામાં આવેલ ઉમદા અને સરાહનીય કામગીરી બદલ આવી જ રીતે પ્રજાલક્ષી સારી કામગીરી અને પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને સાર્થક કરતાં રહો તેવી કામગીરી કરનાર તમામને શુભકામનાઓ પાઠવી છે.

આ અંગે હકિકત એવી છે.કે,ગઇ કાલ તા.૨૨/૦૬/૨૦૨૪ના રોજ સાંજના સમયે ગુણવંતભાઇ માનસંગભાઇ પરમાર રહે.શેરી નં.૧૧,લાખાજીનગર,ભાવનગરવાળા મંત્રેશ કોમ્પલેકસથી એરપોર્ટ તરફ જવાના રસ્તેથી પસાર થતાં હતાં.તે દરમિયાન તેઓ પાસે રહેલ આશરે ૧૦૦ કેરેટ જેટલા હિરાના પેકેટ નંગ-૩૬ કિ.રૂ.૩,૨૫,૦૦૦/-ના ભરેલ પાકિટ પડી ગયેલ છે.જે અંગે ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસોએ તથા ભાવનગર પોલીસની ત્રીજી આંખ તરીકે કામ કરતી નેત્રમ્ કંટ્રોલ રૂમ ટીમે સતત પ્રયત્નો કરીને ગણતરીના કલાકોમાં જ ઉપરોકત હિરાના પેકેટ ભરેલ પાકીટ તેના મુળ માલિક ગુણવંતભાઇ પરમારને પરત સોંપી આપેલ છે.

આ કામગીરી કરવા માટે પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં મીનાજભાઇ ગોરી,પાર્થભાઇ ધોળકિયા,વિશ્વજીતસિંહ ઝાલા તથા નેત્રમ્ કમાન્ડ એન્ડ કંટ્રોલ  રૂમ ટીમ જોડાયેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *