bhavnagarBreaking NewsGujarat

ઓલપાડ પોલીસ સ્ટેશનના બળજબરીથી કઢાવી લેવાના ગુન્હામાં છેલ્લાં ચાર વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ દ્રારા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ભાવનગર જીલ્લાના ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.હેડ કોન્સ. હરેશભાઇ ઉલ્વાને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,ઓલપાડ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય માં દાખલ થયેલ બળજબરી થી કઢાવી લેવાના ગુન્હામાં નાસતા-ફરતાં આરોપી જીતેન્દ્દસિંહ ગીરવાનસિંહ પરમાર રહે.વલ્લભીપુર,જી.ભાવનગરવાળા નારી ગામના નવા પુલ પાસે ઉભા છે.જે બાતમીવાળી જગ્યાંએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી ઓલપાડ પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં આરોપી:-
જીતેન્દ્દસિંહ ગીરવાનસિંહ પરમાર ઉ.વ.૪૨ ધંધો-મજુરી રહે.રાજપુત શેરી,વલ્લભીપુર,જી.ભાવનગર

ગુન્હો:-
સુરત ગ્રામ્ય, ઓલપાડ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૦૦૪૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમઃ-૩૮૪,૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ મુજબ

આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-

1. વલ્લભીપુર પોલીસ સ્ટેશન પ્રોહિ.ગુ.ર.નં.૧૪૫/૨૦૧૫ પ્રોહિ.કલમ-૬૫એઇ,૧૧૬બી,
2. વલ્લભીપુર પોલીસ સ્ટેશન પ્રોહિ.ગુ.ર.નં.૧૨/૨૦૧૬ પ્રોહિ.કલમ-૬૫એઇ,૧૧૬બી,
3. વલ્લભીપુર પોલીસ સ્ટેશન પ્રોહિ.ગુ.ર.નં.૪૬/૨૦૧૬ પ્રોહિ.કલમ-૬૫એઇ,૧૧૬બી,
4. વલ્લભીપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૫૨/૨૦૧૬ ઇ.પી.કો.કલમ-૩૯૭,૪૨૭,૫૦૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧) ૨૫(૧-બી) મુજબ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા સ્ટાફના હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,નીતિનભાઇ ખટાણા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *