bhavnagarBreaking NewsGujaratHelth

પાલિતાણાની જનતાને આરોગ્યલક્ષી ભેટ પાલિતાણાની મધ્યમાં ૪૨૪ બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનશે.

ભાવનગર જિલ્લાના પ્રવાસે પધારેલ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવીયા બપોર બાદ પાલિતાણાની એમ.એમ.કન્યા વિદ્યાલય ખાતે પાલિતાણા વિકાસ સમિતિની બેઠક યોજી હતી.

જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ મંડાવીયા દ્વારા જણાવાયું કે,પાલિતાણા ખાતે ૪૨૪ બેડની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ સાથે મેડીકલ કોલેજનું શિલાન્યાસ આગામી જાન્યુઆરી ૨૦૨૪ માં કરવામાં આવશે.જેનાથી પાલિતાણા અને આસપાસના તાલુકાને આરોગ્ય લક્ષી સેવાઓ ઉપલબ્ધ થશે.

આશરે ૨૦૦ કરોડના ખર્ચે પાલિતાણાની મધ્યમાં આવેલ ઘેટી રિંગ રોડ પર ૧૦૦ વિઘામાં ૪૨૪ બેડની હોસ્પિટલ સાથે મેડીકલ કોલેજ બનશે.

પાલિતાણા વિકાસ સમિતિ દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મનસુખ માંડવિયાના પ્રયત્નોથી પાલિતાણાને આરોગ્યલક્ષી ભેટ ઉપલબ્ધ કરાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે પાલિતાણાનાં ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, પાલિતાણાના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના વિસ્તારનાં આગેવાનો,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી.…

1 of 354

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *