Breaking News

ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં ૧૫૦ થી વધુ યુવાનો દ્વારા અખાડાના દાવ રજૂ કર્યા

૩ વર્ષના બાળકથી માંડી ૫૫ વર્ષની વયના સભ્યો અખાડાના દાવ પેચ રજૂ કર્યા

જુદી જુદી સાત ટીમ બનાવી સમગ્ર રથયાત્રાના રૂટમાં પોતાની આગવી પ્રતિભા અખાડાના યુવાઓ દ્વારા દર્શાવાઈ

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાના દાવપેચનું અનેરુ આકર્ષણ હોય છે. સમાજનો ખાસ વર્ગ આ અખાડાના દાવપેચ જોવાનું ચૂકતા નથી. અખાડાના દાવ કરનારા બજરંગ દળ અખાડાના યુવાનો છેલ્લા ૩૦ દિવસથી તૈયારીઓ કરી રહ્યા હતા.

લાઠી દાવ, ચક્ર, પટ્ટાબાજી, તલવાર બાજી, ટાઈગર જંપ, ભીષ્મપાર્ટ જેવા અનેક દાવો ત્રત્૩ વર્ષથી માંડી ૫૫ વર્ષ સુધીના વય જુથના સભ્યો અખાડાના દાવપેચ રજૂ કરી રહ્યા છે.

ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં વર્ષ ૨૦૦૫ થી  શરૂઆત કરવામાં આવી હતી. બજરંગ દળના અખાડાના ગ્રુપના ૧૫૦થી વધારે સભ્યો દ્વારા છેલ્લા ૩૦ દિવસથી અલગ-અલગ ૭ ટીમ બનાવી વિવિધ પ્રકારના દાવોની પ્રેક્ટિસ રાત્રિના ૯:૩૦ કલાકથી ૧૨:૦૦ સુધી કરવામાં આવતી હતી.

જેમાં નિર્મળનગર ગોંડલીયાની વાડીમાં, કૈલાસવાડી કુંભારવાડા અને ભગતસિંહ પ્રખંડ પાનવાડી ખાતે ૧૫૦થી વધારે યુવાઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

અખાડાની પ્રેક્ટિસ પહેલા આચાર પદ્ધતિ અનુસરવામાં આવે છે જેમાં જય ઘોષ, હનુમાનજી પ્રણામ, હનુમાન ચાલીસા અને હથિયાર વંદન કરી પ્રેક્ટિસ શરૂ કરવામાં આવતી હતી.

દેશમાં પ્રાચીન કાળમાં રાજ્યની સુરક્ષા માટે અખાડાના અત્યારે ખૂબ જ ઉપયોગી થતા હતા આ પરંપરાગત હથિયારો સાથે અખાડાના દાવપેચ ૩૭ મી રથયાત્રામાં જોવા મળી રહ્યા છે.

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૩ કિ.રૂ.૬૧,૭૩૮/-નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 347

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *