bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો વ્હેલ માછલીની ઉલ્ટી (એેમ્બરગ્રીસ) વજન ૧ કિલો ૩૫૮ ગ્રામ કિ.રૂ.૧,૩૫,૮૦૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૪/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સરતાનપર રાતાખડા રોડ ઉપર પડતર જગ્યા પાસે પહોંચતા એક ઇસમ પોતાના હાથમા ગુલાબી કલરની થેલી સાથે શંકાસ્પદ જણાય આવતા તેને રોકી તેની પાસે રહેલ થેલીમા શુ છે તેમ પુંછતા કોઇ સંતોષકારક જવાબ નહી આપેલ નહિ. તેની પાસે રહેલ થેલીમાંથી સફેદ-ક્રિમ રંગના નાના મોટા ટુકડાઓ મળી આવેલ.જે ટુકડાઓ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાનું જણાવેલ. જે કયાંથી લાવેલ તે બાબતે પુંછતાં ’’પોતે સરતાનપરના દરીયા કાંઠે નિયમીત બેસવા જતો હોય અને તે વખતે પોતાને આ માછલીની ઉલ્ટી મળી આવેલ હોવાનું અને અગાઉ મહુવા પોલીસે પણ વ્હેલ માછલીની ઉલ્ટી પકડેલ હોય.જેથી તેની કિંમત પણ બહુ ઉંચી હોવાનું પોતે જાણતો હોવાથી લઇને જતો હોવાનું જણાવેલ.’’ આ અંગે વન વિભાગ તથા એફ.એસ.એલ.ના અધિકારીશ્રીઓને બોલાવી વ્હેલની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાની ખરાઇ તથા વજન કરાવવામાં આવેલ. જે શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરી આગળની કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકાયેલ ઇસમઃ-મેહુલભાઇ ઉર્ફે છોટુ રમેશભાઇ બાંભણીયા ઉ.વ.૨૫ ધંધો-વેપાર રહે.સરતાનપર તા.તળાજા જી.ભાવનગર અને તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ અનિયમીત આકારના સફેદ-ક્રિમ રંગના નાના મોટા ટુકડાઓ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વજન-૧ કિલો ૩૫૮ ગ્રામ કિ.૧,૩૫,૮૦,૦૦૦/-નો મુદ્દામાલ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મંદિર અને દેરાસરમાં લોકો ભગવાન શોધે, પણ ભગવાન તો જીવદયા હોસ્પિટલમાં વસે છે : ઈન્દ્રસેનસૂરિ મહારાજ

અબોલ જીવની સેવા કરતી જીવદયા હોસ્પિટલ અગિયાળી ખાતે ઈન્દ્રસેનસૂરિ મહારાજે મુલાકાત…

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

કુલ રૂ.૫૪,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 397

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *