Devotional

૧૨૦૦ યાત્રિકો વિસામો કરી શકે તેવા ચાર વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થાનું સુંદર આયોજન

અંબાજી, સંજીવ રાજપૂત’ અંબાજી પાસે કામાક્ષી મંદિરની સામે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૧૨૦૦ યાત્રિકો વિસામો કરી શકે તેવા ચાર વોટરપ્રૂફ ડોમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી આવતા યાત્રિકોને કોઈ પણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીટીતંત્ર કટિબધ્ધ બન્યુ છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માં જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ અને સુવિધા માટે વિવિધ સ્થળોએ સુંદર વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે.

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રધ્ધાળુઓ માટે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામા માટે ૪ વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે. આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઇ છે. ચાર વિશાળ ડોમમાં ટોઇલેટ, પીવાનું શુધ્ધ પાણી, નાહવા ગરમ પાણી, સ્વરછ પથારી, આરોગ્ય સુવિધા, મોબાઇલ ચાર્જીંગની સુવિધા સાથે પ્રત્યેક ડોમમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે. ત્યારે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓને સુખ, સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજીત ૧૨૦૦ બેડની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જીંગની વ્યવસ્થા, હાઉસકીંપીગની સર્વિસ, સાઇનેઝીસ, ફ્રલોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઇલેક્ટ્રીશિયની વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાઈ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં: મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ

અંબાજી, સંજીવ રાજપૂત: શકિતપીઠ અંબાજી ખાતે તારીખ 12 મી સપ્ટેમ્બર થી શરૂ થયેલો…

છેલ્લા 23 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં આવતો રાજકોટનો પ્રખ્યાત રજવાડી પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો

અંબાજી, સંજીવ રાજપૂત: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *