Devotional

અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

જૂના નાકા હનુમાનજી મંદિર ખાતે દાદા ને અન્નકૂટ ધરાવાયો….

વહેલી સવાર થીજ ગામ ના તમામ હનુમાન મંદિરો એ ભક્તો ની ભીડ જામી….

ચૈત્ર સુદ પૂનમ –  હનુમાન જયંતિ ના પાવન દિવસ ની  સમગ્ર દેશ માં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ દાદા ના જન્મ દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી .

યાત્રાધામ અંબાજી માં ચૈત્રી પૂનમ ને લઈ અંબાજી મંદિર ખાતે એક તરફ માઈ ભક્તો ની ભીડ તો બીજી તરફ ગામ માં હનુમાન દાદા ના મંદિરે ભક્તો ની ભારે ભીડ વહેલી સવાર થી જામી હતી.જેમાં જૂના નાકા ગેટ  ખાતે આવેલ વર્ષો જૂના સ્ટેટ વખત ના  હનુમાનજી મંદિરે ભક્તો ની ભારે ભીડ જામી હતી જ્યાં આવતા ભક્તો દ્વારા સામુહિક હનુમાન ચાલીસા કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું તો ભક્તો દ્વારા હનુમાન દાદા ને અન્નકૂટ ધરાવાયો હતો અને આવતા જતા ભક્તો માટે ગુલાબ શરબત સહિત પ્રસાદી વિતરણ કરવામાં આવેલ હતી.જેનો બહોળા પ્રમાણ માં ભક્તોએ લાભ લીધો હતો , તેમજ સાંજ ના કાર્યક્રમ માં રાત્રે ૮ :૦૦ વાગ્યે થી અખંડ રામધૂન  નું પણ આયોજન કરાયું છે જેમાં લોકો ને જોડાવવા આમંત્રિત કરાયા છે.

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર…

1 of 26

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *