Devotional

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

રૂ.૨૧૦૦,૨૫૦૦,૩૧૦૦,૫૧૦૦ જેવા ચાર્જ રાખતા ભક્તો માં આશ્ચર્ય….!!!

વર્ષો થી પગપાળા ધજા લઈ ને આવતા યાત્રાળુઓ એ પણ ચાર્જ ચૂકવવો પડશે….!

શ્રદ્ધા અને આસ્થા નો ભાવ નક્કી કરાતાં, ધર્મ ના નામે વેપાર કરતું મંદિર ટ્રસ્ટ….!!!

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ લાખો માઈ ભક્તો ની આસ્થા નું કેન્દ્રસ્થાન છે જ્યાં દરરોજ હજારો ની સંખ્યા માં માઈ ભક્તો આવતા હોય છે .ત્યારે આવનાર ભક્તો ની સુવિધા માં વધારો કરતું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ હવે વેપારી નીતિ અપનાવી ધર્મ ના નામે વેપાર કરવાનું પણ શરૂ કર્યું છે.

જેમાં આવનાર યાત્રિકો / શ્રદ્ધાળુઓ જે હરખ અને શ્રદ્ધા ભાવ થી માતાજી ને ધજા ચડાવવા આવતા હોય છે તેમની પાસે થી ધજા નો શુલ્ક વસૂલવાનું શરૂ કરાયું છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજી ના મંદિરે તેમજ ગબ્બર શક્તિપીઠ ખાતે ધજા ચડાવવા ના નામે દાન – ભેંટ રૂપે ફરજિયાતપણે ચૂકવવાના થતા  વિવિધ ચાર્જ નક્કી કરાયા છે જેમાં અંબાજી મંદિર ખાતે ધજા ચડાવવાના ચાર્જ રૂ. ૨૧૦૦/-,૨૫૦૦/-, ૩૧૦૦,૫૧૦૦/- તેમજ ગબ્બર મંદિર ખાતે ધજા ચડાવવા ના રૂ.૨૧૦૦/- અને ૫૧૦૦/- દાન – ભેંટ રૂપે ફરજિયાતપણે નક્કી કરાયા છે.

ત્યારે પ્રશ્ન એ છે કે શું ધજા જેવી પવિત્ર વસ્તુ બાબતે પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ હવે પૈસા વસૂલશે? ને એ પણ દાન – ભેંટ ના નામે? કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય કક્ષા નો માણસ શ્રદ્ધા ,ભક્તિ થી પગપાળા ધજા ખભે લઈ ને અંબાજીઆવે છે ત્યારે રસ્તે ચાલતા લોકો એ ધજા ને નમન કરી છેડા ને શિરે અડાડી માન આપે છે ત્યારે  જે હરખ થી માતાજી ને ધજા ચડાવવા એ શ્રદ્ધાળુ આવે છે અને  ધજા ચડાવવા માટે પણ એને ચાર્જ ચૂકવવો પડે તે વાત કેવી નવાઈ પમાડે તેવી છે?
ત્યારે મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર દ્વારા આ રીત ના ભાવ નક્કી કરી ફરજિયાત દાન ભેંટ રૂપે મંદિર ની આવક વધારવાનો કીમિયો તો બહુ જબરજસ્ત છે પરંતુ શ્રદ્ધા અને ધર્મ ના નામે વેપાર કરવો પણ યોગ્ય નથી!!!

જે ધજા ના દર્શન અને  સ્પર્શ માત્ર થી લોકો ધન્યતા અનુભવતા હોય તેવા ધર્મ ના ચિન્હ રૂપી ધજા ના ફરજિયાત પૈસા ચૂકવવા એ માલેતુજાર કે તવંગર માટે તો ઠીક પરંતુ ગરીબ અને મધ્યમવર્ગીય માટે કાઠુ બની શકે છે કેમકે ધજા માટે કદાચ શ્રદ્ધા અનુસાર દાન ભેંટ લખાવવી એ અલગ વિષય છે  અને ફરજિયાત ચૂકવવી જ પડતી દાન ભેંટ એ ધર્મ ના વેપાર તરીકે જાહેર થાય છે જે બાબતે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 જે લાગુ છે જે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ મુજબ હાલ માં નિયમિત ચાલી રહ્યું છે. જેમાં ટ્રસ્ટ ની કોઈ  ધાર્મિક વિધિ માટે નિશ્ચિત ચાર્જ નક્કી કરવો એ વ્યાવસાયિક હેતુ ગણાશે જેવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આવનારા શ્રદ્ધાળુ પાસે થી ધજા ના નામે રૂપિયા લેવા કેટલા યોગ્ય છે ? જો આવનાર દિવસો માં આ રીતે જ ચાલતું રહ્યું તો ગરીબ માણસ માતાજી ને ધજા ચડાવવા થી પણ વંચિત બને તો નવાઈ નહીં…..!!

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *