bhavnagar

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ રેલવેના સવારી ડિબ્બા મરામત કારખાનાનું રાજભાષા સંબંધિત નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન મુખ્ય કારખાના પ્રબંધક શ્રી રાકેશ કુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ રાજભાષા હિન્દી સંબંધિત નિયમોની માહિતી આપવા માટે એક કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું. કારખાનાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યશાળામાં ભાગ લઈ વધુમાં વધુ કાર્ય રાજભાષા હિન્દીમાં કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

પશ્ચિમ રેલવેના મુખ્ય કાર્યાલયના રાજભાષા વિભાગની વરિષ્ઠ રાજભાષા અધિકારી શ્રીમતી સુનીતા અહીરે દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે રાજભાષા અધિનિયમ 1963 અનુસાર કેન્દ્ર સરકારના દેશભરના તમામ કચેરીઓમાં સરકારી કામકાજ હિન્દીમાં કરવામાં આવવું જોઈએ. આ અધિનિયમના યોગ્ય પાલન માટે પશ્ચિમ રેલવેનો રાજભાષા વિભાગ સમયાંતરે આવા નિરીક્ષણો કરે છે.

વરિષ્ઠ રાજભાષા અધિકારી શ્રીમતી સુનીતા અહીરે કારખાનાના વિવિધ વિભાગોમાં જઈ સરકારી કામકાજ સંબંધિત ભૌતિક તથા ઈ-ઓફિસ ફાઈલોનું નિરીક્ષણ કર્યું અને રાજભાષા નિયમોના પાલન અંગે સંતોષ વ્યક્ત કર્યો. તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે ભાવનગર કારખાનાના કર્મચારીઓ રાજભાષા નિયમો પ્રત્યે જાગૃત છે અને પોતાનું સરકારી કામકાજ હિન્દીમાં કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારતના મોટા ભાગના નાગરિકો હિન્દી બોલે અને સમજે છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. તેથી આપણું સંવિધાનિક કર્તવ્ય છે કે સરકારી કામકાજ હિન્દીમાં કરવામાં આવે જેથી સામાન્ય જનતા સાથેનો સંવાદ સરળ, પારદર્શક અને સમાવેશક બને અને તેઓ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકે.

આ રાજભાષા અધિનિયમ 1963 અને રાજભાષા નિયમો 1976 અંતર્ગત આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે. સંસદીય રાજભાષા સમિતિના નિર્દેશ મુજબ સરકારી કામકાજ હિન્દીમાં કરવું આવશ્યક છે અને સમિતિ તેના નિરીક્ષણ દરમિયાન આ બાબતો પર ખાસ ધ્યાન આપે છે. તેમણે કર્મચારીઓને પોતાનું સંપૂર્ણ કાર્ય હિન્દીમાં કરવા અનુરોધ કર્યો અને નિયમોના વધુ સારા અમલીકરણ માટે માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે મુખ્ય કારખાના પ્રબંધક શ્રી રાકેશ કુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ રાજભાષા કાર્યશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેથી કારખાનાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ રાજભાષા નિયમો વિશે વધુ જાણકારી મેળવી શકે. આ કાર્યશાળામાં શ્રીમતી સુનીતા અહીરે રાજભાષા નિયમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. કાર્યશાળામાં 50થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો.

અંતમાં વરિષ્ઠ સહાયક નાણાકીય સલાહકાર તથા સંપર્ક રાજભાષા અધિકારી શ્રી રત્નેશ કુમારે આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ કાર્યશાળાથી રાજભાષા નિયમોને વિગતવાર સમજવાની તક મળી છે અને ભાવનગર કારખાનું રાજભાષા નિયમોના પાલન માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *