Devotional

અંબાજી મા ડ્રાઈવરે ઈમાનદારી ની મિશાલ પેશ કરી, રસ્તા પર મળેલો મોબાઈલ ને યાત્રાળુ ને પરત કર્યો, યાત્રાળુએ ખુશી વ્યક્ત કરતા ડ્રાઈવર ના વખાણ કર્યા

અનેકો એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જ્યાં લોકો પોતાનો કિંમતી સામાન સહિતની અન્ય સામગ્રી વસ્તુઓ ને ક્યાંય ભૂલી જતા હોય છે. કે પછી ગુમાવી દેતા હોય છે કે ખોવાઈ જાય છે. ત્યારે અમુક લોકો દ્વારા તે મળેલી વસ્તુઓ ને પરત મૂળ માલિક સુંધી પહોચાડી ઈમાનદારી ની મિશાલ પેશ કરે છે.

યાત્રાધામ અંબાજી મા મોટી સંખ્યામાં ભક્તો માતાજી ના દર્શનાર્થે આવે છે. અને અન્ય ધાર્મિક કાર્યને લઈને અંબાજી આવતા હોય છે. ત્યારે અમુક લોકો નુ કીમતી સામાન અંબાજીમાં રહી જતું હોય છે કે ખોવાઈ જતું હોય છે. અંબાજીમાં મંદિરમાં પણ અનેકવાર યાત્રાળુઓના મોબાઇલ, પાકીટ, સોનાની વસ્તુઓ ને મંદિર ના સ્ટાફ દ્વારા મૂળ માલિક ને પરત આપેલી છે. એવોજ એક વધુ કિસ્સો અંબાજી થી સામે આવ્યો છે.

અમદાવાદ થી આવેલા યાત્રાળુઓ જે અંબાજીમાં આવેલા એવલા બીડી મા કોઈ ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા હતા. ત્યારે તે અંબાજી ના હાઇવે પરથી પસાર થતાં જૈન મંદિર આગળ તેમનો મોબાઇલ પડી ગયો હતો. અને તેમને આ બાબતે કોઈ પણ જાણ ન હતી.

ત્યારબાદ ત્યાંથી પસાર થતાં એક ગાડી ચાલક જે અંબાજીના સ્થાનિક હતા તેમને આ મોબાઈલ પર નજર પડતા તેમના મોબાઈલ લઈ મુલ માલિક ને મોબાઈલ માંથી ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ડ્રાઇવરે યાત્રાળુઓને મોબાઈલ પરત આપ્યો હતો. અમદાવાદથી આવેલા યાત્રાલુઓ ને મોબાઈલ પરત મલતા તેમને ખુશી વ્યક્ત કરી હતી અને ડ્રાઇવરની ઈમાનદારી ના વખાણ કર્યા હતા.

રિપોર્ટર અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આગામી તા.15 થી 17 એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ,૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપ -વેની સુવિધા બંધ રખાશે

મધમાખી (મધપુડા) દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *