Devotional

છેલ્લા 35 વર્ષથી અંબાજી આવતા માઇભક્તો માટે અવિરત ચાલતો ખમણિયો કેમ્પ

અંબાજી, સંજીવ રાજપૂત: અરવલ્લી ની ગિરિમાળાઓમાં જગતજનની અંબા નો મહાપર્વ ચાલી રહ્યો છે. ત્યારે આ ભાદરવી મહા કુંભમાં લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી રહ્યા છે.

માઇ ભક્તોની સેવા માટે અંબાજીના વિવિધ માર્ગો પર ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા અંબાજી આવતા તમામ માર્ગો પર સેવાકીય કેમ્પ દ્વારા ભક્તો ની સેવા પૂરી પાડી રહ્યા છે.

આ સેવા કૅમ્પો મા જમવા, ચા , નાસ્તો , પાણી , આરોગ્ય સહિત ની અનેકો સેવાઓ ભક્તો માટે ઉભી કરવા મા આવી છે. લાખો ની સંખ્યા મા આવતા માઇભકતો જે દૂર દૂર થી પગપાળા અને સંઘો લઈને આવે છે તે આ સેવાઓ નો લાભ લઇ રહ્યા છે.

આ સેવા કૅમ્પો વચ્ચે આવેલા પ્રખ્યાત ખમણિયા કેમ્પ જે છેલ્લા 35 વર્ષ થી અવિરત રૂપે પોતાની સેવા માઇભકતો માટે પૂરી પાડી રહ્યું છે.

ખમણિયા કેમ્પ ની વાત કરવા મા આવે તો આ કેમ્પ એટલો પ્રખ્યાત છે કે જેનો લાભ લાખોની સંખ્યામા ભક્તો તો ઠીક પણ અંબાજીના સ્થાનિકો પણ આ કેમ્પની અવશ્ય મુલાકાત લે છે.

ખમણિયા કેમ્પ મા ખમણ, કઢી, ચા, નાસ્તો, મેડિકલ દવાઓ જેવી સુવિધાઓ ભક્તો માટે કરવામાં આવી છે.

અમદાવાદ મણિનગર વિસ્તારના જય અંબે મંડળના 200 જેટલા સંયમ સેવકો આ ખમણિયા કેમ્પ મા 24 કલાક 7 દિવસ માટે માઇભકતો ની સેવા કરે છે.

એકજ કવોલિટી થી ખમણ અને કઢી ભક્તો ને આપી રહ્યા છે. અનેકો સુવિધાઓ સાથે સજજ આ ખમણિયા કેમ્પ નો લાભ લઈ ભક્તોએ પણ આનંદ વ્યક્ત કરી રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *