૫૧ શક્તિપીઠ ના મંદિરો ની પ્રણાલિકા મુજબ સેવા પૂજા ની ટ્રેનિંગ માટે મહારાજો ને દક્ષિણ ભારત મોકલ્યા….!!!
અંબાજી મંદિર દ્વારા સ્થાપિત ૫૧ શક્તિપીઠ ના મંદિરો માં રાજભોગ પણ ધરાવતો નથી….!!
તો પછી મંદિર ટ્રસ્ટ ટ્રેનિંગ પાછળ પૈસા કેમ બગડે છે????
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ લાખો ભક્તો ની આસ્થા નું કેન્દ્રસ્થાન છે ત્યારે અહીં આવતા માઈ ભક્તો ને માતાજી ના ૫૧ શક્તિપીઠો ના દર્શન નો લ્હાવો મળે તે માટે ગબ્બર પર્વત ની ફરતે દેશ ના પ્રસિદ્ધ ૫૧ શક્તિપીઠો ના પ્રતિકૃતિ રૂપ મંદિરો ની સ્થાપના કરવામાં આવી હતી.
ત્યારે સ્થાપના બાદ આ મંદિરો માં પહેલા તો નિત્ય સેવા પૂજા અને રાજભોગ ધરાવાતો હતો.પરંતુ કોરોના મહામારી ના સમય થી બંધ થયેલ રાજભોગ ને ૫ -૫ વર્ષ વીતવા છતાં મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલુ કરાયેલ નથી , પરંતુ આ મંદિરો ની સેવા પૂજા તેમના રીત માં થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અવાર નવાર મંદિર માંથી પૂજારીઓ ને વિવિધ શક્તિપીઠો ખાતે ટ્રેનિંગ માટે મોકલાય છે જેમ ક્યારેક નેપાળ ,તો ક્યારેક સૌરાષ્ટ્ર અને હવે દક્ષિણ ભારત….!
ત્યારે આ બધા વચ્ચે મહત્વ નો મુદ્દો તો એ છે કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્થાપિત થયેલ ૫૧ શક્તિપીઠો ની નિત્ય સેવા માટે પૂજારી પૂરતા નથી મુકાતા, રાજભોગ નથી ધરાવાતો અને તેનાથી મહત્વ ની વાત એ કે જે મહારાજો ને દક્ષિણ ભારત ટ્રેનિંગ લેવા મોકલ્યા છે એવામાં મંદિર ના અધિકારીઓ ના કમાઉ દીકરા એવા *” કનુ મહારાજ “* ને મોકલવામાં આવ્યા છે જેઓ પોતે તેમના ફરજ સ્થળ ના અજય માતા મંદિર ખાતે પણ સમયસર ફરજ નથી બજાવતા અને જેમના વિરુદ્ધ અનેકો વખત મૌખીક – લેખિત રજૂઆતો થઈ ચૂકી છે તેમ છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ પગલા લેવાતા નથી! તેવા મહારાજ ને ટ્રેનિંગ લેવા મોકલવા એ ખરેખર ટ્રેનિંગ માટે મોકલ્યા છે કે પછી અધિકારીઓ જોડે ના સેટિંગ ને લીધે ટ્રેનિંગ ના નામે મફત ના પ્રવાસે લઈ જવાયા છે તે બાબત પણ વિચારશીલ છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ ના કર્મચારી અને પેટા મંદિર ના પૂજારી તરીકે કામગીરી સંભાળતા કનુ મહારાજ વિશે પાછલા ઘણા સમય થી ચર્ચાઓ શરૂ થઈ છે તે મુજબ સામાન્ય પગારદાર એવા આ પૂજારી કમ કર્મચારી ની આવક / મિલકત વિશે પણ સાંભળતી ચર્ચા મુજબ આવક કરતા વધુ સંપત્તિ પણ ભેગી કરી હોવાનું સંભળાય છે ત્યારે આ કનુ મહારાજ પર ટેમ્પલ ઇન્સ્પેકટર સહિત વહીવટદાર શ્રી નો ટેકો હોઇ આ મહારાજ સંપૂર્ણ પણે બેફિકર બની પોતાની મરજી મુજબ વર્તતા જોવા મળી રહ્યા છે.ત્યારે લોકો ની આસ્થા અને શ્રદ્ધા થી મળતા દાન નો સદુપયોગ થવા ને બદલે આવા અધિકારી સાચવું માણસો ને દક્ષિણ ના પ્રવાસ નો ખર્ચ મંદિર ટ્રસ્ટ ભોગવી દાન ના પૈસા ખોટી જગ્યાએ વેડફી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
કેમ કે અન્ય પૂજારીઓ ની જેમ આ પૂજારી ની છેલ્લા ૧૦ વર્ષ થી અજય માતા મંદિર સિવાય અન્ય કોઈ પણ પેટા મંદિરો માં ફેરબદલી થઈ નથી, અને ના તો આ મહારાજ થવા દે છે જો આ પૂજારી ને બદલી કરાવી જ નથી અને અન્ય કોઈ મંદિર ની સેવા સાચવવીજ નથી તો પછી ટ્રેનિંગ શેની?? આ તમામ સવાલો વચ્ચે મંદિર ના અધિકારીઓ ને સચવાતા આ પૂજારી પોતાની ઓળખાણ અને વગ ને લીધે કોઈ અધિકારી પણ કાર્યવાહી કરતા નથી ત્યારે આવા પૂજારીઓ અને અધિકારીઓ ની મિલી ભગત ને લીધે દાન ના પૈસા નો દુરુપયોગ થતો અટકાવાય તે જરૂરી બન્યો છે. અંબાજી મંદિર ના પેટા પૂજારી ની બદલી ક્યારે કરવામાં આવશે તે એક વિચારવાનો સવાલ છે
રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી
















